PM મોદી અને અમિત શાહ એકનાથ શિંદેને સાથે લઇને PoK જાય, મહેબૂબા પર પણ ભડકી શિવસેના

PC: indianexpress.com

શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા સરહદી મુદ્દા અને કાશ્મીરમાં તણાવ પર મોદી સરકારની આકરી ટીકા કરી છે. એકનાથ શિંદેની સાથે બળવાખોર જૂથને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.

બળવાખોર ધારાસભ્યો અને સાંસદોએ ભાજપ સાથે સમાધાનની માંગણી કર્યા બાદ પણ શિવસેનાએ પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું છે. શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા સરહદી મુદ્દા અને કાશ્મીરમાં તણાવ પર મોદી સરકારની આલોચના કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે બળવાખોર જૂથને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. શિવસેનાનું કહેવું છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આપણા કાશ્મીર એટલે કે PoKમાં પગ મૂકવો જોઈતો હતો.

PDPના પ્રમુખ અને આઝાદ કાશ્મીરના સમર્થક મહેબૂબા મુફ્તીએ ભારતના સાર્વભૌમત્વને સીધો પડકાર ફેંક્યો છે. મુફ્તીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કાશ્મીરનો ઝંડો ફરકાવ્યો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. એ જ રીતે આ અલગ ધ્વજ પણ રદ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ કાશ્મીર હવે ભારતનું અભિન્ન અંગ હોવાનું જાહેર કરીને ઉજવણી કરી હતી. પરંતુ કંઈપણ બદલાયું નથી, પછી તે કાશ્મીરી પંડિતોની સ્થિતિ હોય કે અલગતાવાદીઓની કમનસીબ રમત હોય.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં આ શબ્દો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. ભગવા પાર્ટીએ એકનાથ શિંદે પર પણ નિશાન સાધ્યું છે.

શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં આગળ લખ્યું છે કે, મોદીના શાસનમાં એક મહિલા નેતાએ અલગતાવાદનો ઝંડો લહેરાવ્યા પછી પણ મોદી-શાહ કેવી રીતે ચૂપ છે? શું કાયદાની લાકડી માત્ર રાજકીય વિરોધીઓના શ્વાસ બંધ કરવા માટે છે? એકવાર સ્પષ્ટ કહો.

શિવસેનાએ વધુમાં કહ્યું કે, એક દેશ, એક બંધારણ, એક નિશાન, આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો મંત્ર હોવો જોઈએ. તેને નિષ્ફળ બનાવવાનું કામ કાશ્મીરમાં થયું હતું.

શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, મહેબૂબા આજે પણ ભારતીય જનતા પાર્ટી ચલાવે છે. પણ હિંદુત્વ-રાષ્ટ્રવાદી શિવસેના ખતમ થવી જોઈએ, આવો તેમનો પ્રયાસ છે. તેઓ કાશ્મીરમાં અલગતાવાદીઓને તાકાત આપી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં પણ અલગતાવાદીઓને મોટી તાકાત આપી રહ્યા છે, તે પણ હિન્દુત્વના નામે. આનાથી મોટો ડોળ શું હોઈ શકે?

સામનામાં શિવસેનાએ લખ્યું છે કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્વતંત્રતાના અમૃત ઉત્સવમાં પાકિસ્તાન દ્વારા કબજે કરેલા આપણા કાશ્મીર (PoK)માં પગ મૂકવો જોઈએ. મહારાષ્ટ્રના નવમર્દ એકનાથ શિંદેની સાથે એકનાથ શિંદે, કેસરકર, સામંત, ભૂસેને સાથે લઇ જવા જોઇએ. ભાજપ દ્વારા શિવસેનામાં વિભાજન થયા પછી નવા ગ્રુપમાંપણ હિન્દુત્વનો  જોશ આવ્યો છે. તેથી સ્વતંત્રતાના અમૃત ઉત્સવમાં આ જુસ્સાદાર અલગતાવાદી જૂથ સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પગ મુકીને દેશ સમક્ષ એક આદર્શ બનાવવાની જરૂર છે.

શિવસેનાએ પેલોસીની તાઈવાન મુલાકાતનું ઉદાહરણ આપ્યું છે. ભગવા પાર્ટીએ લખ્યું કે, અમે આવું કેમ કહી રહ્યા છીએ? કારણ કે ચીનના વિરોધ બાદ પણ અમેરિકાની નેન્સી પેલોસીએ તાઈવાનની ધરતી પર પગ મૂક્યો હતો. તાઈવાન ચીનનો ભાગ છે, આ માન્યતાને નકારી કાઢી અને અમેરિકન લોકોએ તાઈવાનમાં પ્રવેશ કર્યો.

ચીને અમેરિકાને ચેતવણી આપવા સિવાય બીજું શું કર્યું? અહીં ચીનની સેના આપણા દેશના લદ્દાખની જમીન પર બેઠી છે અને 37 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp