પાછા આવશે રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીય, PMએ પુતિન સામે ઉઠાવ્યો હતો મુદ્દો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના પ્રવાસ દરમિયાન વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ પર આખી દુનિયાની નજર હતી. એવામાં વડાપ્રધાન મોદીને આ યાત્રામાં મોટી સફળતા મળી. રશિયાએ રશિયન સેનામાં કામ કરી રહેલા બધા ભારતીય નાગરિકોને પરત મોકલવાની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના રશિયાના પ્રવાસે છે. અહી રશિયન રાષ્ટ્રપતિના નોવો ઓગારિયોવો નિવાસ પર વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઇ.

બંને નેતાઓએ એક ઔપચારિક મુલાકાત પણ કરી. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાતમાં મૈત્રીપૂર્ણ રશિયા-ભારત સંબંધ, સાથે જ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દો પર ચર્ચા થઇ. બંને નેતાઓ વચ્ચે પ્રાઇવેટ મીટિંગ થઇ અને બંનેએ સાથે ડિનર પણ કર્યું. વડાપ્રધાન મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ સાથે 22મું ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે લગભગ 5 વર્ષમાં આ વડાપ્રધાન મોદીજી પહેલી રશિયાની મુલાકાત છે. તેમણે છેલ્લી વખત રશિયનો પ્રવાસ વર્ષ 2019મા કર્યો હતો.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ 4 જુલાઇએ સંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન અગાઉ રશિયન સમકક્ષ સર્ગેઇ લાવરોવ સામે આ મામલાને ઉઠાવ્યો હતો. યુક્રેન વિરુદ્ધ રશિયા તરફથી યુદ્ધ લડતા ઓછામાં ઓછા 2 ભારતીયોના મોત થઇ ગયા છે, જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ડઝનો લોકોનો દાવો છે કે તેમને છળપૂર્વક યુદ્ધમાં સામેલ થવા મજબૂર કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, અત્યારે પણ 30-40 ભારતીય રશિયન સેના સાથે કામ કરવા મજબૂર છે.

જૂનમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશિયન સેનામાં ભરતી થયેલા 2 ભારતીય નાગરિક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં માર્યા ગયા અને ભારતે રશિયન સેનામાં સામેલ બધા નાગરિકોને જલદી મુક્ત કરવા અને વાપસીનો મામલો ઉઠાવ્યો છે. જયશંકરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ઘણા ભારતીયોને રશિયન સેનામાં કામ કરવા માટે લગાવવામાં આવ્યા છે, જ્યારે તેઓ પાછા આવશે ત્યારે જ આપણને આખી સ્થિતિ બાબતે જાણકારી મળશે, પરંતુ પરિસ્થિતિઓ જે પણ હોય, આપણાં માટે અસ્વીકાર્ય છે કે ભારતીય નાગરિક યુદ્ધ ક્ષેત્રમાં કોઇ બીજા દેશની સેનામાં હોય. ભારત આ મામલે રશિયન રક્ષા મંત્રાલયના સંપર્કમાં છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.