ગુજરાતમાં 156 સીટ છતા સી.આર.પાટીલે માફી કેમ માંગવી પડી?

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજપૂત સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું તેના 11 દિવસ થવા છતા વિવાદ થાળે નથી પડ્યો. મંગળવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 2 હાથ જોડીને રાજપૂત સમાજની માફી માંગવી પડી.

સી. આર. પાટીલ એવા નેતા છે કે જેમણે તેમની રાજકીય કારકીર્દીમાં ક્યારેય માફી માંગી નથી કે આટલા મજબૂર ક્યારેય જોવા મળ્યા નથી.આનું કારણ એવું છે કે રાજપૂત સમાજનું સામાજિક અને રાજકીય બંને રીતે જબરદસ્ત વર્ચસ્વ છે.

ગુજરાતમાં આખા નોર્થ બેલ્ટમાંથી લોકો ધંધા રોજગાર માટે અહીં આવીને વસેલા છે, જેમાં રાજપૂત સમાજ પણ મોટા પ્રમાણમાં છે. હવે જો ગુજરાતનો આ વિવાદ આખા નોર્થ બેલ્ટમાં પ્રસરે તો ભાજપને મોટું નુકશાન થાય. ઉત્તર પ્રદેશથી માંડીને ઉત્તરાખંડ સુધી રાજપૂતો વસેલા છે. ભાજપ નોર્થ બેલ્ટમાં જ જીત મેળવે છે. સાઉથમાં ભાજપને મુશ્કેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp