‘એક વખત રાહુલ-સોનિયાને અયોધ્યા મંદિર લઈ જાવ’ હિમંત બિસ્વાએ કોને આપ્યો આ પડકાર
![](https://khabarchhe.com/uploads/mc_path/1695192757Himanta-Biswa-Sarma.jpg)
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પડકાર આપ્યો. તેમણે સૂરજપુરમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતા તેમણે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને આ પડકાર આપ્યો કે તેઓ એક વખત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને અયોધ્યાના રામ મંદિરમાં લઈ જઈને દેખાડે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની પરિવર્તન યાત્રા તેજીથી બિલાસપુર તરફ વધી રહી છે.
આ યાત્રાની શરૂઆત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 12 સપ્ટેમ્બરના રોજ દંતેવાડાથી કરી હતી. તો જશાપુરથી નીકળેલી બીજી પરિવર્તન યાત્રા સૂરજપુર પહોંચી ચૂકી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા મંગળવારે યાત્રામાં સામેલ થયા હતા. તેમણે સૂરજપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કમલનાથ અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ પોતાને હિન્દુ બતાવે છે.
#WATCH | "Kamal Nath ji in Madhya Pradesh and Bhupesh Baghel in Chhattisgarh say that they are also Hindus. I challenge them that if they are Hindus, then they should take Rahul Gandhi and Sonia Gandhi to Ayodhya's Ram Lalla temple once," says BJP leader and Assam CM Himanta… pic.twitter.com/ToIo8E8Zch
— ANI (@ANI) September 19, 2023
તેઓ કહે છે કે અમે પણ હિન્દુ છીએ. હું તેમણે ચેલેન્જ કરું છું જો તેઓ હિન્દુ છે તો એક વખત અયોધ્યાના રામ મંદિરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લઈ જાવ. મંગળવારે સવારે એરપોર્ટ પહોંચ્યા બાદ તે હેલિકોપ્ટરથી સૂરજપુર પહોંચ્યા અને પરિવર્તન યાત્રામાં સામેલ થયા હતા. તો પત્રકારો સાથે વાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘છત્તીસગઢમાં બદલાવ થશે, રાજ્યની જનતા વડાપ્રધાન મોદીને સરકાર બનાવવાનો અવસર આપશે.
વિપક્ષે અટલ બિહારી વાજપેયી પાસે શીખવું જોઈએ. નેહરુ સરકાર અને તેમણે ભારતની પ્રશંસાની. આજે જ્યારે રાહુલ ગાંધી વિદેશ જાય છે તો તેઓ દેશને ગાળો આપે છે. ભાજપની પરિવર્તન યાત્રાની પૂર્ણાહુતિ 2 સપ્ટેમ્બરના રોજ બિલાસપુરમાં થશે. પૂર્ણાહૂતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતા સામેલ થશે. આ અગાઉ ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, વિપક્ષી ગઠબંધન ભારતની સંસ્કૃતિ અને ભારતને મટાડવા માગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે ગાંધીજીથી લઈને સ્વામી વિવેકાનંદ સુધી અને માતા અહલ્યા બાઈ હોલકરથી લઈને મીરાંબાઈ સુધી હજારો હજાર વર્ષ સુધી આ સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ દરેકને પ્રેરિત કરતી રહી છે. તેમણે કહ્યું કે, આ સનાતન સંસ્કૃતિ છે, જે સંત રવિદાસ, સંત કબીરદાસને સંત શિરોમણી કહે છે. એવી સનાતન સંસ્કૃતિને સમાપ્ત કરવાનો પ્રયાસ ‘ઇન્ડિ’ ગઠબંધનના લોકોએ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp