PM મોદીના રોડ શોને આ રાજ્ય સરકારે મંજૂરી ન આપી, 4 કારણો જણાવ્યા પણ કોર્ટે...

લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે અને બધી પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચારના ધમધમાટ પણ શરૂ થઇ ગયા છે. ભાજપે આ વખતે 400 કે પારનો નારો લગાવ્યો છે અને આ 400 પાર કરવા માટે દક્ષિણનો ગઢ જીતવો જરૂરી છે. જેના ભાગરૂપે કોઇમ્બતુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તંત્રએ રોડ શો કરવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

તમિલનાડુના કોઈમ્બતુર તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોઈમ્બતુર શહેર પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કરીને 18 માર્ચે PM મોદીના 3.6 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. કોઇમ્બતુર પોલીસે વિવિધ કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.આ મામલે ભાજપના તમિલનાડુ યુનિટે પોલીસના આદેશને પડકારતા મદ્રાસ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.તમિલનાડુના કોઈમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે 18 માર્ચે રોડ શો યોજવાની મંજૂરી આપી છે

સૂત્રોના કહેવા મુજબ કોઈમ્બતુર તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને મંજૂરી નહીં આપવા માટેના 4 કારણો રજૂ કર્યા છે. જેમાં એક કારણ એ છે કે સુરક્ષાનું જોખમ છે. બીજું કારણ કોઇમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ,ત્રીજું કારણ લોકોને પડનારી મુશ્કેલી અને ચોથું કારણ રોડ શો દરમિયાન માર્ગમાં જે શાળાઓ આવે છે તે શાળાઓના વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલી.

ભાજપનો પ્રસ્તાવિત રોડ શો કોઇમ્બતુરમના આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યા છે જ્યાં 1998માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. વધુમાં, કોઈમ્બતુરની સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પ્રકૃતિને જોતાં, કોઈપણ રાજકીય પક્ષ અથવા જૂથને રોડ શો યોજવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ રોડ શો લોકસભા ચૂંટણી પહેલા PM મોદીના દક્ષિણ ભારત પ્રવાસનો ભાગ હતો. આ ટેક્સટાઈલ સિટી કોઇમ્બતુરમમાં 3.6 કિમી લાંબા રોડ શો માટે ભાજપે મંજૂરી માંગી હતી.વહીવટી તંત્રનું કહેવું છે કે 18 અને 19 માર્ચે વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષાઓ પણ લેવાશે અને રોડ શો જે જગ્યાએ થઈ રહ્યો છે ત્યાંના માર્ગ પર ઘણી શાળાઓ પણ આવેલી છે.

આરએસ પુરમમાં આ એ જ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરવી પડી હતી.બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે તે સ્થળે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.