શિવસેનાનું નામ અને ચિહ્ન મળ્યા બાદ પણ કેમ SC પહોંચ્યું શિંદે જુથ? કંઈ વાતનો ડર

PC: mid-day.com

રાજનૈતિક પાર્ટી શિવસેનાને લઈને ચાલી રહેલી ખેચતાણ પર ચૂંટણી પંચના આદેશના એક દિવસ બાદ એટલે કે શનિવારે એકનાથ શિંદે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કર્યું. હવે ઉદ્ધવ ઠાકરેના કેમ્પ દ્વારા ચૂંટણી પંચના આદેશને પડકાર આપનારી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થવાની સ્થિતિમાં એકનાથ શિંદે કેમ્પને સાંભળ્યા વિના, કોઈ આદેશ પાસ કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચે શુક્રવારે આદેશ આપ્યો કે પાર્ટીનું નામ 'શિવસેના' અને પાર્ટીનું ચિહ્ન 'ધનુષ અને બાણ' એકનાથ શિંદે કેમ્પને ફાળવવામાં આવે.

તેના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ચૂંટણી પંચનો આ નિર્ણય, લોકતંત્રની હત્યા છે. તેઓ ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, જે કંઈ પણ થયું છે તે અભૂતપૂર્વ છે. આ લડાઈ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી, જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન કરે, ત્યાં સુધી કોઈ નિર્ણય ન લે. તેનાથી જ તેમની આશા હતી. તેમની પાસે લોકોનો જનાદેશ હોવો જોએ, બંને પક્ષોને સાંભળવા અનિવાર્ય છે. ચૂંટણી પંચે સુનાવણી કરવી જોઈએ.

આ ભારતીય લોકતંત્રની હત્યા છે. મને લાગે છે કે, થોડા મહિનાઓની અંદર BMC ચૂંટણી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે અને તમે જે કર્યું તેનો લોકો બદલો લેશે. અમારું ચિન્હ ચોરી લીધું છે, પરંતુ અસલી ધનુષ-બાણ અમારી પાસે રહેશે અને અમે તેની પૂજા કરતા રહીશું. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઇ રહ્યા છીએ. આદેશમાં ચૂંટણી આયોગે જોયું કે શિવસેનાનું વર્તમાન સંવિધાન ‘અલોકતાંત્રિક’ છે. કોઈ પણ ચૂંટણી વિના પદાધિકારીઓના રૂપમાં એક મંડળીના લોકોને અલોકતાંત્રિક રૂપે નિમણૂક કરવા માટે તેને વિકૃત કરી દેવામાં આવે. ચૂંટણી પંચે કહ્યું કે, આ પ્રકારની પાર્ટી સંરચના વિશ્વાસને પ્રેરિત કરવામાં નિષ્ફળ રહે છે.

ચૂંટણી પંચે જોયું કે, શિંદે કેમ્પનું સમર્થન કરનારા 40 ધારાસભ્યોએ કુલ 47,82,0 વૉટોમાંથી 36,57,327 વોટ હાંસલ કર્યા છે એટલે કે 55 જીતેલા ધારાસભ્યોના પાક્ષ નાખવામાં આવેલા વૉટોના 76 ટકા છે. તે 15 ધારાસભ્યો દ્વારા પ્રાપ્ત 11, 25,113 વોટો વિરુદ્ધ છે, જેના સમર્થનનો દોવો ઠાકરે ગ્રુપે કર્યો છે. તો 90,49,789ની તુલનામાં વર્ષ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના દ્વારા નાખવામાં આવેલા વોટ (હારનારા ઉમેદવાર સહિત) અરજીકર્તાના સમર્થન કરનારા 40 ધારાસભ્ય દ્વારા નાખવામાં આવેલા 40 ટકા આવે છે, જ્યારે ઉત્તરદાતાઓનું સમાર્થન કરનારા 15 ધારાસભ્યો દ્વારા નાખેલા વોટ આવે છે.

કુલ વોટ માત્ર 12 ટકા છે. બીજી તરફ શિંદે કેમ્પનું સમર્થન કરનારા 13 સાંસદોએ કુલ 1,02,45,13 વૉટમાંથી 74,88,634 વોટ હાંસલ કર્યા હતા એટલે કે લોકસભાની ચૂંટણી 2019માં 18 સાંસદોના પક્ષમાં પડેલા વૉટના 73 ટકા હોય છે. તે ઠાકરે કેમ્પનું સમર્થન કરનારા 5 સાંસદો દ્વારા મળેલા 27,56,509 વોટ વિરુદ્ધ છે. ઠાકરે કેમ્પ 27 ટકા વોટ હાંસલ કરી શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp