અહેદમ પટેલના રાજકીય વારસાને કોંગ્રેસ ખતમ કરશે કે ભાજપ સાચવશે?

ગુજરાતની ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને AAPએ ગંઠબંધનની જાહેરાત કરી પછી એ વાતની ચર્ચા શરૂ થઇ કે શું કોગ્રેસ અહેમદ પટેલના રાજકીય વારસાને ખતમ કરી નાંખવા માંગે છે? બીજી તરફ ભાજપ અહેમદ પટેલના વારસાને સાચવી લેશે?

ગઠબંધનની જાહેરાત પછી મુમતાઝ પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, અહેમદ પટેલના 45 વર્ષના વારસાને આપણે સાચવવો પડશે. અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને સંકટ મોચક ગણાતા હતા, પરંતુ રાહુલ ગાંધી સાથે તેમને મોટા મતભેદ હતા. અહેમદ પટેલના દીકરા ફૈઝલ અને મુમતાઝને ટિકીટ ન આપીને કોંગ્રેસ અહેમદ પટેલનો વારસો ખતમ કરવા માંગે છે એવી ચર્ચા છે.

બીજી તરફ ભાજપના નેતા જયવીર શેરગીલે ટ્વીટ કરીને લખ્યું કે શાહજાદાનો આ બદલો છે. મતલબ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે તો ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ લખ્યું કે, રાહુલ ગાંધી અહેમદ પટેલનો વારસો ખતમ કરી દેવા માંગે છે. આના પરથી એવી ચર્ચા શરૂ થઇ કે ભાજપ મુમતાઝ અને ફૈઝલને ભાજપમાં સમાવેશ કરીને અહેમદ પટેલનો વારસો સાચલી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp