રીઝલ્ટના દિવસે શેરબજાર અપ થશે કે ડાઉન?

PC: www.quora.com

જેમ જેમ લોકસભા ચૂંટણીના તબક્કાઓ પૂરા થતા જાય છે અને રીઝલ્ટની તારીખ 4 જૂન નજીક આવે છે તેમ તેમ શેર બજાર અંગે અટકળો વધતી જાય છે. નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા છે કે રીઝલ્ટના દિવસે શેરબજાર ઉપર જશે કે નીચે. એવો સવાલ પણ થઇ રહ્યો છે કે મતદાનની નીચી ટકાવારી શું બતાવે છે. તો કેટલાક નિષ્ણાતોએ આપેલા પ્રતિભાવો જાણીએ.

ઈન્વેસ્ટેક એનાલિસ્ટ મુકુલ ખોચર અને જયંત પારસરામકાએ જણાવ્યું હતું કે, "સટ્ટા બજારો સૂચવે છે કે ભાજપ 300 બેઠકો જીતી શકે છે જે કેટલાક લોકો માટે નિરાશાજનક હોઈ શકે છે. જોકે, અમારું માનવું છે કે જ્યારે ભાજપ 272 બેઠકોની બહુમતી સુધી પહોંચે છે ત્યારે સ્થિર સરકાર ચલાવવા માટેની વ્યાવહારિક જરૂરીયાત છે. જ્યારે 2019માં તેમણે મેળવેલી 303થી વધુ બેઠકો એ સૂચવે છે કે દેશમાં ભાજપનો વ્યાપ વધી રહ્યો છે." બજારના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પ્રચારમાં ગવર્નન્સના મુદ્દાઓથી પરથી ધાર્મિક અને સાંપ્રદાયિક મુદ્દાઓ પર જવાની ભાજપની રણનીતિએ પણ બજારને હચમચાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. માર્કેટ નિષ્ણાતો વ્યુહરચનનામાં કરવામાં આવેલા પરિવર્તન પાછળના કારણો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નોમુરા એનાલિસ્ટ્સનં કહેવું છે કે, ઓછુ મતદાન વધારે ચિંતાનો વિષય નથી. 1950ના દાયકાથી લઈને ભારતમાં મતદાનની ટકાવારી સરેરાશ 59.1 ટકા રહી છે. જ્યારે 1980ના દાયકાથી યોજાયેલી ચૂંટણીઓમાં આ ટકાવારી 61.8 રહી છે. તેથી 2024ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 66.9 રહેશે તો પણ તે ઐતિહાસિક એવરેજથી વધારે જ હશે. ઓછુ મતદાન અને એન્ટિ-ઈન્કમ્બન્સી વચ્ચે કોઈ લિંક નથી. નોમુરાના સોનલ વર્મા અને ઔરોદીપ નંદીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામો અંગેની અનિશ્ચિતતા 4 જૂન સુધી ચાલુ રહેશે કેમ કે તે દિવસે અંતિમ પરિણામો જાહેર થવાના છે. જોકે 1 જૂનના રોજના એક્ઝિટ પોલ સંભવિત પરિણામો આ અંગે થોડી સ્પષ્ટતા પૂરી પાડશે કેમ કે ભૂતકાળમાં એક્ઝિટ પોલ દિશાસૂચક રહ્યા છે.

ચૂંટણીના પરિણામોના દિવસે માર્કેટની ત્રણ પ્રતિક્રિયાઓ હોઈ શકે છે. પ્રથમ સ્થિતિ છે કે જો ભાજપનો વિજય થશે તો માર્કેટ કેવી પ્રતિક્રિયા આપશે? જો ભાજપ 272 કરતાં વધારે બેઠકો જીતે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે યથાવત રહે છે તો નોમુરાને માર્કેટ હકારાત્મક પ્રતિક્રિયા આપે તેવી અપેક્ષા છે. ખાસ કરીને જો NDA 400 બેઠકોની નજીક આવશે તો માર્કેટ હકારાત્મક રહેશે તેવી નોમુરાએ આશા વ્યક્ત કરી છે. ડોમેસ્ટિક સેક્ટર્સ ખાસ કરીને ફાઈનાન્સિયલ, ઈન્ડસ્ટ્રીયલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પીએસયુ જેવા સેક્ટર ધમાકેદાર પ્રદર્શન કરી શકે છે જ્યારે IT સર્વિસિસ અને હેલ્થકેર નબળા જોવા મળી શકે છે.

બીજી પરિસ્થિતિ છે કે જો NDA જીતશે તો શું થશે? જો ભાજપ બહુમતી મેળવવાથી ચૂકી જાય છે પરંતુ NDAના સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહે છે તો સેલ-ઓફ જોવા મળી શકે છે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીએસયુ જેવા ડોમેસ્ટિક-ઓરિએન્ટેડ સેક્ટર્સમાં ભારે વેચવાલી જોવા મળી શકે છે. નોમુરા અપેક્ષા રાખે છે કે આકિસ્સામાં બેંકિંગ, કન્ઝપ્શન અને ફાર્માસ્યુટિકલ્સ વધુ સારું પ્રદર્શન કરશે. ત્રીજી પરિસ્થિતિમાં જો I.N.D.I.A ગઠબંધનનો વિજય થશે તો શું થશે? જો, કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડિયા ગઠબંધન હાફ-વે માર્ક મેળવવામાં સફળ થાય છે તો નોમુરાએ મોટાભાગના ડોમેસ્ટિક-ઓરિએન્ટેડ સેક્ટર્સમાં વેચવાલીનો ડર વ્યક્ત કર્યો છે. જેમાં ફાઈનાન્સિયલ, ઈન્ડસ્ટ્રીયલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પીએસયુ સામેલ છે. જ્યારે કન્ઝ્યુમર સ્ટેપલ્સ, આઈટી સર્વિસિસ અને ફાર્માસ્યુટિકલ્સ આઉટપરફોર્મ કરે તેવી શક્યતા નોમુરાએ વ્યક્ત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp