શું CM નીતિશને DyPMની ઓફર થઈ? INDIA ગઠબંધન પ્યાદા ગોઠવવામાં વ્યસ્ત થયું
લોકસભા ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવવા લાગ્યા છે. આ સમયે NDA આગળ છે. પરંતુ, INDIA ગઠબંધન પણ ચૂંટણીમાં પહેલા કરતા સારી સ્થિતિમાં છે. NDA 299 સીટો પર આગળ છે. જેમાં JDUની 14 સીટો સામેલ છે. આવી સ્થિતિમાં JDU સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે CM નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની સરકાર ચલાવી રહ્યા હતા અને કોંગ્રેસ સિવાય RJD પણ તેમની સાથે હતી, ત્યારે CM નીતિશ કુમારે વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે બેઠકો શરૂ કરી હતી, પરંતુ ત્યાર પછી તેમણે INDIA મહાગઠબંધન છોડી દીધું હતું.
શું CM નીતિશ કુમાર બનશે દેશના આગામી DyPM? શું CM નીતીશ કુમારને મળી હતી ઓફર? સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણી પિચ પર તેમના પ્રદર્શનના આધારે CM નીતિશ કુમારને INDIA એલાયન્સ તરફથી DyPMની ઓફર મળી છે.
શું બિહારના CM નીતિશ કુમારને DyPMની ઓફર મળી છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા આગામી સમયમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CM નીતીશ કુમારને DyPM બનવા માટે INDIA એલાયન્સ તરફથી ઓફર મળી છે. જો કે JDU તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આવી ઓફર આવી છે. આ માટે અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે.
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ NDAના અનુમાન મુજબ જણાતું નથી. આ પહેલા બિહારના CM નીતિશ કુમારને ફોન આવવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, CM નીતીશ કુમારને NCP નેતા શરદ પવારનો ફોન આવ્યો છે. જો કે વધુ વિગતો બહાર આવી નથી. બિહારમાં CM નીતિશ કુમારની પાર્ટી 16 સાંસદો જીતી શકે છે.
#Breaking
— TIMES NOW (@TimesNow) June 4, 2024
Bihar CM #NitishKumar dials #SharadPawar
I think people can reach out to anybody...: @sreeramjvc
BJP is the single largest party and #PMModi is going to come back for the third term: @Sanju_Verma_ tells @PadmajaJoshi #ElectionsResults #LokSabhaElectionResults pic.twitter.com/hYaTBCJsss
બિહારમાં CM નીતિશ કુમાર છેલ્લા 18 વર્ષથી CM પદ સંભાળી રહ્યા છે. 2005 થી 2014 સુધી 9 વર્ષ સુધી CM રહ્યા. ત્યારપછી 2015થી લઈને અત્યાર સુધી તેઓ બિહારના CM પદ પર છે. વિપક્ષી દળોના નેતાઓ ઘણીવાર CM નીતિશના CM પદ પરથી હટી જવાની આગાહી કરતા રહે છે. 73 વર્ષના CM નીતીશ કુમારની તબિયત બગડતી હોવાના પણ અહેવાલ છે. દરમિયાન તેઓ બિહારની રાજનીતિ છોડીને દિલ્હી આવવાની ચર્ચા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp