શું હોય છે ‘ભૂકંપ સ્વાર્મ’, આખરે સતત કેમ કંપી રહી છે અમરેલીની ધરતી?

અમરેલી જિલ્લામાં 2 વર્ષ દરમિયાન એક બાદ એક ભૂકંપના ઝટકાની લાઇન લાગી ગઇ છે અને અહીં લગભગ 400 વખત સમાન્ય ઝટકા નોંધાઇ ચૂક્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ભૂકંપ વૈજ્ઞાનિક આ સ્થિતિને ભૂકંપ સ્વાર્મ કહે છે. સ્વાર્મ મોટા ભાગે નાના સ્તરના ભૂકંપનો ક્રમ હોય છે જે મોટા ભાગે ઓછા સમય માટે આવે છે, પરંતુ તે ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે.

આ ઝટકા અમરેલીના મિટિયાલા ગામમાં પણ અનુભવાયા, જ્યાંના રહેવાસીઓએ સાવધાનીના રૂપમાં પોતાના ઘરો બહાર સૂવાનું શરૂ કરી દીધું, જેથી તેઓ કોઇ મોટા ભૂકંપથી થનારી દુર્ઘટનાથી બચી શકે. મિટિયાલાના રહેવાસી મોહમ્મદ રાઠોડે જણાવ્યું કે, ઝટકાની આશંકાના કારણે સરપંચ સહિત ગામના મોટા ભાગના લોકો રાત્રે પોતાના ઘર બહાર રહે સૂવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિતિ અમરેલી જિલ્લામાં ભૂકંપ સ્વાર્મના કારણને સ્પષ્ટ કરતા ગાંધીનગર સ્થિત ભૂકંપીય શોધ સંસ્થા (ISR)ના ડિરેક્ટર સુમેર ચોપડાએ જણાવ્યુ કે, મૌસમી ભૂકંપીય ગતિવિધિઓના કારણે ટોક્ટોનિક ક્રમ અને જલીય ભાર છે.

આ મહિને 23 ફેબ્રુઆરીથી 48 કલાકની અંદર અમરેલીના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં 3.1 અને 3.4ની તીવ્રતાના 4 ઝટકા અનુભવાયા, જેના કારણે અહીંના લોકો ચિંતિત છે. તુર્કીમાં હાલમાં જ 45 હજાર કરતા વધુ લોકોના જીવ લેનારા વિનાશકારી ભૂકંપ બાદ અમરેલીમાં ભૂકંપીય ગતિવિધિઓ જોવામા આવી રહી છે. કચ્છ જિલ્લામાં જાન્યુઆરી 2001માં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે 19,800 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 1.67 લાખ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.

ચોપડાએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષમાં અને 2 મહિના દરમિયાન અમે અમરેલીમાં 400 સામાન્ય ઝટકા નોંધ્યા, જેમાંથી 86 ટકા ઝટકાઓની તીવ્રતા 2 કરતા ઓછી હતી, જ્યારે 13 ટકા ઝટકાની તીવ્રતા 2-3 વચ્ચે હતી. માત્ર 5 ઝટકાની તીવ્રતા 3 કરતા વધુ હતી. તેમણે કહ્યું કે, મોટા ભાગના ઝટકાને લોકો અનુભવી ન શક્યા, તેની જાણકારી માત્ર અમારી મશીનોને મળી. અમરેલી સહિત મોટા ભાગનું સૌરાષ્ટ્ર ક્ષેત્ર ભૂકંપીય ક્ષેત્ર 3 (સેસ્મિક ઝોન-3) હેઠળ આવે છે જે જોખમના હિસાબે મધ્યમ તબાહીની શ્રેણીવાળું છે.

અમરેલીમાં ફોલ્ટ લાઇન 10 કિલોમીટર સુધી છે, પરંતુ શક્તિશાળી ભૂકંપ માટે આ લાઇન 60-70 કિલોમીટર કરતા વધુ હોવું જોઇએ. અમરેલીમાં સર્વાધિક 4.4 તીવ્રતાનો ભૂકંપ 130 વર્ષ અગાઉ 1891માં નોંધાયો હતો. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સર્વાધિક 5.1ની તીવ્રતાનો ભૂકંપ જૂનાગઢ જિલ્લાના તલાળા ક્ષેત્રમાં વર્ષ 2011માં નોંધાયો હતો. કચ્છ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં વધારે ફોલ્ટ લાઇન નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.