જાણો ISROના પૂર્વ અધ્યક્ષે પ્રજ્ઞાન અને વિક્રમના જાગવાની આશા લઇને શું કહ્યું

ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન રોવર પુનઃ સક્રિય થવાની હવે કોઈ આશા નથી. આ વાત શુક્રવારે એક જાણીતા અંતરીક્ષ વૈજ્ઞાનિકે કહી છે, જે ભારતના ત્રીજા ચંદ્ર મિશનના સંભવિત અંતના સંકેત છે. મિશનથી સક્રિય રૂપે જોડાયેલા અંતરીક્ષ આયોગના સભ્ય અને ISROના પૂર્વ અધ્યક્ષ એ.એસ. કિરણ કુમારે કહ્યું કે, ‘નહીં નહીં, હવે તે ફરી સક્રિય થવાની કોઈ આશા નથી. જો એ થવું હોત તો અત્યાર સુધી થઈ જવું જોઈતું હતું.’ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ 22 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે નવો ચંદ્ર દિવસ શરૂ થયા બાદ સૌર ઉર્જા ચાલિત ‘વિક્રમ’ અને ‘પ્રજ્ઞાન’ રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા જેથી તેમના ફરીથી સક્રિય થવાની સંભાવનાની જાણકારી મેળવી શકાય.

તેણે કહ્યું હતું કે હાલમાં તેમની (લેન્ડર અને રોવર) તરફથી કોઈ સંકેત મળ્યા નથી અને સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ ચાલુ રહેશે. ચંદ્રયાન-3 મિશન સાથે ભારતે 23 ઑગસ્ટના રોજ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ વિસ્તારમાં ‘સૉફ્ટ લેન્ડિંગ’ કરીને ઇતિહાસ રચી દીધો હતો અને એમ કરનારો પહેલો દેશ બની ગયો હતો. તેની સાથે જ ભારત ચંદ્રમા પર સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે અમેરિકા, પૂર્વવર્તી સોવિયત સંઘ અને ચીન બાદ એમ કરનારો વિશ્વનો ચોથો દેશ બની ગયો હતો. ISROએ ચંદ્રમા પર રાત થવા અગાઉ ક્રમશઃ 4 અને 2 સપ્ટેમ્બરના રોજ લેન્ડર તેમજ રોવરને નિસ્ક્રિયા અવસ્થા (સ્લીપ મોડ)માં નાખી દીધા હતા.

જે 22 સપ્ટેમ્બરની આસપાસ આગામી સૂર્યોદય પર ફરીથી સક્રિય થવાની આશા હતી. લેન્ડર અને રોવરને એક ચંદ્ર દિવસની અવધિ (ધરતીના લગભગ 14 દિવસ) સુધી કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ISROના અધિકારીઓ મુજબ ચંદ્રયાન-3 મિશનના બધા 3 ઉદ્દેશ્ય હાંસલ કરી લેવામાં આવ્યા છે. જેમાં ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રમા પર ફરનારા રોવરનું પ્રદર્શન અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ સામેલ છે. ચંદ્રયાન-3 મિશનની ઉપલબ્ધિના સંબંધમાં કિરણ કુમારે કહ્યું કે, ‘મોટા અર્થોમાં, તમે નિશ્ચિત રૂપે જે હાંસલ કર્યું છે તે એ છે કે તમે એક એવા ક્ષેત્ર (દક્ષિણ ધ્રુવ) પર પહોંચી ગયા છો, જ્યાં કોઈ બીજું પહોંચ્યું નથી.

તેમજ એ ક્ષેત્રના વાસ્તવિક ડેટા પ્રાપ્ત કર્યા નથી. એ વાસ્તવમાં ખૂબ ઉપયોગી જાણકારી છે. તેનાથી બાદના અભિયાનોને જ્ઞાનના સંદર્ભમાં અને એ ગતિવિધિઓની યોજના બનાવવાના સંદર્ભમાં લાભ થશે, જે તમે એ ક્ષેત્રમાં કરવા માગો છો. તેમણે ISRO દ્વારા ચંદ્રમાથી નમૂના લાવવા સંબંધિત મિશન શરૂ કરવાની સંભાવના બાબતે પણ વાત કરી, પરંતુ આ પ્રકારનું અભિયાન શરૂ કરવા માટે કોઈ સમયસીમા આપી નથી. કિરણ કુમારે કહ્યું કે, હા નિશ્ચિત રૂપે ભવિષ્યમાં આ બધુ ત્યાં થશે કેમ કે આ બધી ટેક્નિકલી ક્ષમતાઓ છે, જેમને તમે વિકસિત કરતા રહો છો.

હવે તેણે (ચંદ્રયાન-3) સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે અને ત્યારબાદના અભિયાનોમાં ત્યાંથી સામગ્રી ઉઠાવવામાં આવશે તેમજ પરત લાવવામાં આવશે, તેમજ પરત લાવવામાં આવશે, નિશ્ચિત રૂપે એ બધા મિશન હશે. ભવિષ્યમાં તેમાંથી ઘણી વસ્તુઓ પર કામ થશે. યોજનાઓ બનાવવામાં આવશે અને પછી ટેક્નિકલી વિકાસના સમગ્ર દૃષ્ટિકોણના આધાર પર પ્રસ્તાવ રાખવામાં આવશે. કિરણ કુમારે કહ્યું કે, એ પૂરી રીતે એ વાત પર નિર્ભર કરે છે કે સમગ્ર યોજના કેવી રીતે બને છે અને કેટલા સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવે છે એટલે એ (નમૂના વાપસીનું મિશન માટે સમયસીમા) બતાવવી ખૂબ મુશ્કેલ છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.