કાલે સૂર્યગ્રહણ, સૂતક કાળનો સમય ક્યારે? જાણો ક્યાં દેખાશે

આવતીકાલે 14 ઓકટોબરે એક તરફ ભારત અને પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચ રમાવવાની છે તો બીજી તરફ સૂર્યગ્રહણ પણ છે.

સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 8:34 કલાકે થશે અને 15 ઓક્ટોબરે સવારે 2:25 કલાક સુધી ચાલશે. ચાલો જાણીએ કે ભારતમાં 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ દેખાશે કે નહીં અને સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો માન્ય રહેશે કે નહીં.

સૂર્યમંડળમાં ગ્રહણની ઘટના ખગોળીય હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેના ફાયદા અને નુકસાન દૂરગામી પરિણામો ધરાવે છે. આ વર્ષે ચાર ગ્રહણ છે. જેમાં પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થયું હતું અને પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ થયું હતું. હવે આ વર્ષના છેલ્લા બે ગ્રહણ થવાના છે. જેમાં 14 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી.

જ્યોતિષના કહેવા મુજબ એક જ મહિનામાં બે ગ્રહણ બિલકુલ ફાયદાકારક નથી. એટલું જ નહીં, 14 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીના 20 દિવસોને ખગોળીય ઘટનાઓની દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જેની અસર પૃથ્વી પર કુદરતી આફત, ભૂકંપ, મહામારી, સુનામી, મોટા દેશોમાં યુદ્ધની સ્થિતિના રૂપમાં જોવા મળશે.

હવે આગામી બે ગ્રહણ, એક સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, અશ્વિન મહિનામાં થશે. આ બંને ગ્રહણ એક જ મહિનામાં થઇ રહ્યા છે.

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર, શનિવારે અશ્વિન કૃષ્ણ પક્ષ અમાવસ્યાના રોજ થશે. આ સૂર્યગ્રહણ કંકડાકૃતિ સૂર્ય ગ્રહણ હશે. તેની વિશેષતા એ છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. મૂળભૂત રીતે આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઉત્તર આફ્રિકાના કિનારા, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં જોવા મળશે.

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેનો સૂતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં.એટલે કે આ ગ્રહણની દેશ દુનિયા પર ભૌતિક અસર, આધ્યાત્મિક અસર, સૂતકની અસર અથવા કોઈપણ પ્રકારની ધાર્મિક અસર થવાની નથી. આ ગ્રહણ દરમિયાન ભારતમાં રહેતા તમામ લોકો

લોકો માટે સામાન્ય દિનચર્યા રહેશે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ ક્યાં થાય છે અને ક્યાં દેખાય છે તેની અસર ત્યાં પણ જોવા મળે છે. તેથી, આ ગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાને કારણે, ભારતીયોને અસર થશે નહીં.

 જયોતિષીઓનું કહેવું છે કે,28 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ દેખાશે અને ભારતમાં તેનું ભૌતિક અને આધ્યાત્મિક મહત્વ પણ રહેશે. અને તેની 12 રાશિઓ પર સારી અને ખરાબ અસર પડશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.