10 મેચમાં 24 વિકેટ,સ્થાનિક ક્રિકેટમાં ભુવનેશ્વરની આગ ઝરતી બોલિંગ, છતા અવગણના

PC: hindnow.com

ટીમ ઈન્ડિયાનો બોલર ભુવનેશ્વર કુમાર જે વિકેટની બંને દિશામાં સ્વિંગ બોલિંગ કરવામાં હોશિયાર છે. જે બોલર નવા અને જૂના બોલ સાથે વિકેટની બંને દિશામાં સતત સ્વિંગ કરી શકે છે, તે કોઈપણ પરિસ્થિતિમાં સ્વિંગ કરી શકે છે. જે બોલર વિશ્વના શ્રેષ્ઠ અને સાતત્યપૂર્ણ સ્વિંગ બોલરોમાં ગણાય છે. જે બોલરનો ઇનસ્વિંગર તેના આઉટ સ્વિંગ કરતાં વધુ ઘાતક હોય છે.

પરંતુ એવું લાગે છે કે, તેના શાનદાર પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાના પસંદગીકારો તેને ભૂલી ગયા છે. 33 વર્ષના ભુવનેશ્વરનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે.

લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ભુવનેશ્વર હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણો પરસેવો પાડી રહ્યો છે. તેણે તાજેતરમાં શાનદાર બોલિંગ કરી છે. તેને જે પણ ફોર્મેટમાં હોમ ટીમ ઉત્તર પ્રદેશ તરફથી રમવાની તક મળી છે, તેણે પોતાની જાતને સાબિત કરી છે.

જ્યારે અમે ભુવનેશ્વર કુમારના તાજેતરના ફોર્મ પર નજર નાખી, તો ખબર પડી કે તેણે છેલ્લી 10 સ્થાનિક સ્તરની મેચોમાં 24 વિકેટ લીધી છે. આ 10 મેચોમાં લિસ્ટ A (ODI મેચ) અને T20નો સમાવેશ થાય છે. કર્ણાટક સામે ભુવનેશ્વરે 25 ઓક્ટોબરે રમાયેલી T20 મેચમાં 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જે કોઈપણ ખેલાડીના દૃષ્ટિકોણથી પ્રભાવશાળી પ્રદર્શન કહી શકાય. આ પછી પણ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ભુવનેશ્વર કુમારની સતત અવગણના કરી રહ્યા છે.

ભુવનેશ્વરના ફોર્મ અને તેના પર ધ્યાન આપવામાં ન આવતું હોવાને જોતા, મોટો સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયાના પસંદગીકારો ભુવનેશ્વરને ભુલાવી ચુક્યા છે. બીજું કારણ જે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે, તે એ છે કે તેની ઉંમરને કારણે તેના પર ધ્યાન આપવામાં નથી આવતું. ભુવી હાલમાં 33 વર્ષનો છે. ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ 33 વર્ષનો છે. આવી સ્થિતિમાં, વય સંબંધિત વિવિધ પરિમાણો કેવી રીતે હોઈ શકે? ભુવનેશ્વર વર્લ્ડ કપની ટીમમાંથી બહાર હતો એટલું જ નહીં, આફ્રિકા પ્રવાસ માટે પણ તેને કોઈપણ ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.

જો આપણે માત્ર T20 ફોર્મેટમાં જ ભુવનેશ્વરના કરિયરની વાત કરીએ, તો તે યુઝવેન્દ્ર ચહલ (96 વિકેટ) પછી આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ભુવનેશ્વરે 87 T20માં 6.96ના ઈકોનોમી રેટથી 90 વિકેટ લીધી છે. હવે જો ભુવનેશ્વરની સરખામણી ટીમ ઈન્ડિયાના હાલમાં રમી રહેલા T20 બોલરો સાથે કરવામાં આવે તો, તે તેમના કરતા ઘણો આગળ છે.

હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાના બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ હાંફળા-ફાંફળા જોવા મળ્યા હતા. અર્શદીપ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં આખી શ્રેણીમાં સતત બોલને ફટકારવામાં આવ્યા છે. છેલ્લી મેચમાં અર્શદીપે ટીમ ઈન્ડિયા માટે 10 રન બનાવવા દીધા ન હતા અને 6 રનથી જીત મેળવી હતી.

ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણની ઓવરમાં બોલ ને એટલો ફટકારવામાં આવ્યો કે તેણે 4 ઓવરમાં 68 રન આપ્યા. આ રીતે તે T20 ઈન્ટરનેશનલ ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો. કૃષ્ણા અત્યાર સુધી 5 T20 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 11ની ઈકોનોમીમાં 8 વિકેટ ઝડપી છે. મુકેશે હવે 10 T20 મેચમાં 9 વિકેટ લીધી છે, જેમાં તેનો ઈકોનોમી રેટ 9.20 છે.

અવેશ ખાનને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 શ્રેણીમાં 3 મેચમાં રમવાની તક મળી હતી. જ્યાં તેણે 2 વિકેટ ઝડપી હતી. અવેશ અત્યાર સુધી 19 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 18 વિકેટ ઝડપી ચૂક્યો છે, જેમાં તેણે 31.27ની એવરેજ અને 9.03ની ઇકોનોમી રેટથી વિકેટ લીધી છે.

અર્શદીપ સિંહે અત્યાર સુધીમાં 41 T20 ઈન્ટરનેશનલ મેચમાં 58 વિકેટ લીધી છે, જે દરમિયાન તેનો ઈકોનોમી રેટ 8.73 રહ્યો છે.

ભુવનેશ્વર લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો તેનાથી તેના કોચ સંજય રસ્તોગી પણ નિરાશ દેખાયા હતા. મીડિયા સૂત્રોએ ભુવીના તાજેતરના પ્રદર્શન વિશે સંજય રસ્તોગી સાથે વાત કરી. આના પર તેણે કહ્યું, 'જુઓ, તે (ભુવનેશ્વર) પોતાના તરફથી સારું પરફોર્મ કરી રહ્યો છે, બાકીનું કામ મેનેજમેન્ટ કરે છે. તેણે હંમેશા પોતાની જાતને સાબિત કરી છે.'

હમણાં બે T20 શ્રેણી (ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે) રમાઈ હતી, પરંતુ તેની પસંદગી કરવામાં આવી ન હતી. સંજય રસ્તોગીએ એમ પણ કહ્યું કે, ભુવનેશ્વરમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે, પરંતુ તેની અવગણના કરવામાં આવી રહી છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, UP T20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભુવનેશ્વર કુમાર છેલ્લે 22 નવેમ્બર 2022ના રોજ નેપિયર ખાતે ન્યુઝીલેન્ડ સામે T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. છેલ્લી ODI 21 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે પાર્લમાં રમાઈ હતી. આ સિવાય છેલ્લા 5 વર્ષથી તેનું નામ ટેસ્ટ ક્રિકેટમાંથી ભુલાઈ ગયું છે. ભુવનેશ્વરે તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં રમી હતી.

ભુવનેશ્નર કુમારની કારકિર્દીઃ 21 ટેસ્ટઃ 63 વિકેટ, શ્રેષ્ઠ બોલિંગ ઈનિંગઃ 6/82, શ્રેષ્ઠ બોલિંગ મેચઃ 8/96, સરેરાશઃ 26.09, ઈકોનોમી: 2.94

121 ODI: 141 વિકેટ, શ્રેષ્ઠ બોલિંગ: 5/42, સરેરાશ: 35.11, ઈકોનોમી: 5.08

87 T20 આંતરરાષ્ટ્રીય: 90 વિકેટ, શ્રેષ્ઠ બોલિંગ: 5/4, સરેરાશ: 23.10, ઈકોનોમી રેટ: 6.96

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp