RCBvsRR: અમદાવાદમાં આજે વરસાદ આવ્યો તો કંઈ ટીમ આગળ જશે?

PC: twitter.com

IPLની એલિમિનેટર મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમ સામે-સામે ટકરાશે, પરંતુ અમદાવાદમાં રમાનારી છેલ્લી બે લીગ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, તે પણ હકીકત છે. જો આજે પણ અમદાવાદમાં મેચ દરમિયાન વરસાદ પડે તો કંઈ ટીમ આગળ જશે, તેના પર અનેક સવાલ થઈ રહ્યા છે, તો તમને જણાવી દઈએ કે, જો આજે વરસાદ પડે તો રાજસ્થાન રોયલ્સની ટીમને ફાયદો મળશે.

IPL ગવર્નિંગ કાઉન્સિલે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી, એટલે જો વરસાદને કારણે આ મુકાબલો ન થાય તો તેનું નુકસાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને થશે. કારણ કે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં બેંગ્લોર કરતા આગળ છે. જો વરસાદ આવે અને જાય તો ઓછામાં ઓછી 5-5 ઓવર્સની મેચ શક્ય છે, જો એ પણ ના થાય તો સુુપર ઓવરથી નિર્ણય લેવાય શકે છે અને જો એકપણ બોલ ન ફેકાયો તો પોઈન્ટ ટેબલમાં જે ટીમ સારી સ્થિતિમાં હોય તે ક્વોલિફાય થઇ જશે.

9 વર્ષ પછી RCB અને RR વચ્ચે રમાશે એલિમિનેટર

ઈન્ડિયન પ્રીમિયર લીગની એલિમિનેટર મેચની દરેક જણ રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે શું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઈનલ તરફ આગળ વધશે કે પછી શાનદાર શરૂઆત બાદ ફસકી ગયેલી રાજસ્થાન રોયલ્સ જીતશે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનને બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લેઓફમાં આત્મવિશ્વાસથી ભરપૂર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે, જે ચમત્કારિક પ્રદર્શન સાથે અહીં પહોંચી છે. છેલ્લી વખત બંને ટીમો એલિમિનેટરમાં 2015માં સામસામે આવી હતી.

એક સમયે એવું લાગતું હતું કે, રોયલ્સ ટોપ બેમાં હશે, પરંતુ સતત ચાર હારનો સામનો કરવો પડ્યો હતો. KKR સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ જવાને કારણે તે સનરાઈઝર્સ હૈદરાબાદ પછી બીજા ક્રમે રહી હતી. બીજી તરફ, RCB ચમત્કારિક રીતે પ્લેઓફમાંથી બહાર થવાની અણી પર રહીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. પ્રથમ આઠ મેચોમાંથી સાતમાં હાર્યા પછી ફાફ ડુ પ્લેસિસની ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે.

રોયલ્સ ચાર હાર અને એક વરસાદ વિક્ષેપિત મેચ પછી અહીં પહોંચી છે, જ્યારે RCBએ સતત છ જીત નોંધાવીને તેના હરીફ માટે ખતરાની ઘંટડી વગાડી છે. 2008માં IPLની પ્રથમ સિઝનની ચેમ્પિયન રોયલ્સ થોડા અઠવાડિયા પહેલા ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ છેલ્લી ચાર મેચમાં તેની બેટિંગ અને બોલિંગની નબળાઈઓ સામે આવી હતી.

જોસ બટલરની ઇંગ્લેન્ડ પરત ફરવાથી તેની બેટિંગ પર અસર પડી છે. હવે યશસ્વી જયસ્વાલ (348 રન), કેપ્ટન સેમસન (504 રન) અને રિયાન પરાગ (531 રન)ને વધારાની જવાબદારીઓ નિભાવવી પડશે. સેમસન અને પરાગ ઉપરાંત ઇંગ્લેન્ડના ટોમ હોલર કેડમોર પાસેથી પણ સારી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે, જે જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. શિમરોન હેટમાયર નીચલા ક્રમને મજબૂત બનાવી શકે છે, જો કે તે આ સિઝનમાં અત્યાર સુધી બેટથી અજાયબી કરી શક્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp