DKની નિવૃત્તિ પછી ફેન્સે ધોનીને ટ્રોલ કર્યો, બોલ્યા- ક્યારે નિવૃત્તિ લેશે?
![](https://khabarchhe.com/uploads/mc_path/171646262024.jpg)
દિનેશ કાર્તિકે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લીધી નથી, પરંતુ 22 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન, TV અને ડિજિટલ પ્રસારણ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, તે હવે સત્તાવાર રીતે IPLમાં રમતા જોવા મળશે નહીં, પોતાની સત્તાવાર નિવૃત્તિની જાહેરાત ન કરી હોવા છતાં, એવા સંકેતો મળ્યા હતા કે, ક્રિકેટ ચાહકો દિનેશ કાર્તિકને આગામી IPL સિઝનમાં રમતા જોઈ શકશે નહીં.
આ દરમિયાન, કાર્તિકની નિવૃત્તિ પછી, યુઝર્સે ધોની ને લઈને પણ ઘણી પોસ્ટ પણ શેર કરી અને થાલાને પૂછ્યું કે, તમે ક્યારે નિવૃત્તિ લેશો?
From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6
— IndianPremierLeague (@IPL) May 22, 2024
રોવમેન પોવેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે વિનિંગ શોટ ફટકાર્યો હતો. આ પછી, કાર્તિકે વિરાટ કોહલીને ભાવુક રીતે ગળે લગાવ્યો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર દર્શકોનું અભિવાદન સ્વીકારવા માટે તેના ગ્લોવ્ઝ ઉતાર્યા.
જો કે છેલ્લા કેટલાક સિઝનથી અનુભવી ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હજુ સુધી એવું બન્યું ન હતું.
No old age drama, never did retirement drama for attention, never hiding behind others in tough situations.
— Kevin (@imkevin149) May 22, 2024
Streets will never forget you Thala Dinesh Karthik thank you for everything and happy retirement from IPL. pic.twitter.com/HXbh7vq1Xv
આ દરમિયાન, જ્યારે ધોની MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક)માં રમવા આવ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે, આ તેની છેલ્લી મેચ હોઈ શકે છે. જ્યારે, 18 મેના રોજ, જ્યારે ચેન્નાઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ ધોનીની છેલ્લી IPL મેચ હતી. બેંગલુરુએ આ મેચમાં ચેન્નાઈને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.
જોકે ધોનીએ તેના ક્રિકેટ ભવિષ્ય વિશે વાત કરી નથી, પરંતુ તે બેંગલુરુમાં મેચ રમ્યા પછી સીધો પોતાના વતન રાંચી નીકળી ગયો હતો. ધોનીને લઈને CSKના CEO કાશી વિશ્વનાથને કહ્યું હતું કે, આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી.
જોકે, દિનેશ કાર્તિકની નિવૃત્તિ પછી સોશિયલ મીડિયા પર ધોનીને લઈને ઘણી ચર્ચા થઈ હતી, લોકોએ X પર ઘણી પોસ્ટ શેર કરી હતી.
Indeed a great Retirement!🫡
— Akshatha (@Akshatha388) May 22, 2024
No sympathy No drama pic.twitter.com/p2Kfel039k
કાર્તિકની નિવૃત્તિ પછી, ધોની સાથે જોડાયેલા એક પ્રશંસકે લખ્યું, 'નિવૃત્તિ લેતા પહેલા ઉંમરને લઈને કોઈ ડ્રામા નહીં, રિટાયરમેન્ટ લેતા પહેલા કોઈ ડ્રામા કે કોઈ પણ રીતે ધ્યાન ખેંચવાનો પ્રયાસ નહીં. તમે મુશ્કેલ સંજોગોમાં ક્યારેય કોઈને આગળ નથી કર્યા, અમે તમને 'થાલા દિનેશ કાર્તિક' ક્યારેય ભૂલીશું નહીં. દરેક વસ્તુ માટે કાર્તિક તમારો આભાર.'
જ્યારે એક ચાહકે લખ્યું, આ ખરેખર એક શાનદાર નિવૃત્તિ છે, તેમાં કોઈ સહાનુભૂતિ નથી, કોઈ ડ્રામા નથી.
- Playing his last season
— Virat de Villiers (@imVKohli83) May 20, 2024
- No retirement drama
- No 40 years old drama
- Not hiding himself when RRR is 10+
- Not coming to bat when RRR is below 6
Dinesh Karthik - The Greatest Finisher of IPL
DK - The Boss 😎 pic.twitter.com/ys38yTMbpq
આ સિવાય એક યુઝરે ધોની પર ટોણો મારતા લખ્યું, કોઈ રિટાયરમેન્ટ ડ્રામા નહીં, જ્યારે જરૂરી રન રેટ 10+ જોઈતો હતો ત્યારે તમે તમારી જાતને છુપાવી ન હતી. જ્યારે જરૂરી રન રેટ 6 કરતા ઓછો હતો, ત્યારે તે બેટિંગ કરવા આવ્યો ન હતો... દિનેશ કાર્તિક IPLના સૌથી મહાન ફિનિશરોમાંનો એક છે.
જ્યારે અન્ય એક્સ યુઝરે લખ્યું કે, દિનેશ કાર્તિકની ભવ્ય વિદાય થવી જોઈતી હતી. RCB અને RRએ તેને ગાર્ડ ઓફ ઓનર આપવું જોઈતું હતું, જો ધોની સાથે આવું થયું હોત તો લોકો આ વાતને મોટી બનાવી દેતે...
Dinesh Karthik deserved a better farewell , RCB and RR players should have given him a guard of honour .
— Raj🐺 (@the__choosenone) May 22, 2024
If it was dhoni people would have created a huge thing of it and because he is DK he didn't get a final goodbye. 👏🏻
દિનેશ કાર્તિક પ્રારંભિક સિઝનથી જ IPLમાં રમનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે 257 મેચમાં 22 અડધી સદીની મદદથી 4842 રન બનાવ્યા છે. કાર્તિક IPLના ઈતિહાસમાં ટોપ 10 રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન કાર્તિકે 147 કેચ અને 37 સ્ટમ્પિંગ પણ કર્યા હતા.
કાર્તિકે ફરી એકવાર ફિનિશરની ભૂમિકા ભજવી અને IPL 2024ની 15 મેચોમાં 326 રન બનાવ્યા. પોતાના પ્રદર્શનથી કાર્તિકે પોતાને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં પાછા લાવ્યા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અનુભવી વિકેટકીપર સાથે મળીને મેદાન પર કાર્તિકને મજાકમાં કહ્યું કે, DKએ હજુ વર્લ્ડ કપ રમવાનો છે, જેનો વીડિયો ખુબ વાયરલ થયો હતો.
દિનેશે 26 ટેસ્ટ રમી અને 1025 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 57 કેચ અને 6 સ્ટમ્પિંગ પણ કર્યા. જ્યારે, 94 વનડેમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતી વખતે, તેણે 1752 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 64 કેચ અને 7 સ્ટમ્પ પણ લીધા. જ્યારે તેણે 60 T20 મેચ રમીને 686 રન બનાવ્યા હતા, જ્યારે તેણે આ ફોર્મેટમાં 30 કેચ અને 6 સ્ટમ્પિંગ પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્તિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ MS ધોની પહેલા થયું હતું. દિનેશ કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે, તેણે 5 સપ્ટેમ્બર 2004ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. તેણે 1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે T20માં પ્રવેશ કર્યો હતો.
ધોનીએ ડિસેમ્બર 2005માં ચેન્નાઈમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધોનીનું ODI ડેબ્યૂ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ચટ્ટોગ્રામમાં થયું હતું. જોકે, ધોની અને DKનું T-20 ડેબ્યૂ એ જ મેચમાં થયું હતું, જે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp