ભારતની પહેલા બેટિંગ, રોહિતે ટીમમાં કર્યો આ એક ફેરફાર
આજે નાગપુરમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝની ત્રીજી મેચ રમાવાની છે, ત્યારે બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ટીમની વાત કરીએ તો પહેલી મેચમાં હાર્યા બાદ અને બીજી મેચમાં જીત્યા બાદ રોહિત શર્માએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઘણા રિપોર્ટ્સ હતા કે રિષભ પંતને બહાર બેસવું પડશે, પરંતુ રોહિતે કૃણાલ પંડ્યાને બહાર બેસાડ્યો છે અને તેની જગ્યાએ મનિષ પાંડેને સ્થાન આપ્યું છે.
ભારતીય ટીમ....
રોહિત શર્મા
શિખર ધવન
કેએલ રાહુલ
શ્રેયસ ઐયર
રિષભ પંત
મનિષ પાંડે
શિવમ દૂબે
વોશિંગટન સુંદર
યઝુવેન્દ્ર ચહલ
દીપક ચહર
ખલીલ અહમદ
બાંગ્લાદેશે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને સાત વિકેટે પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશ વિરુદ્ધ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ભારતનો પહેલો પરાજય હતો. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી 8 મેચોમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે મુશફિકુર રહીમ (60*)ની શાનદાર બેટિંગની મદદથી 19.3 ઓવરમાં 3 વિકેટે ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. બીજી મેચમાં રોહિત શર્માની ધમાકેદાર બેટિંગે ભારતીય ટીમને જીતાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp