મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, IPL 2024માંથી બહાર થઈ શકે છે કેપ્ટન હાર્દિક પંડ્યા

PC: abplive.com

મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. હાર્દિકે રોહિત શર્માનું સ્થાન લીધું હતું, જેણે તેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ IPL ટાઇટલ જીત્યા હતા. હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય ખૂબ જ ચોંકાવનારો હતો, કારણ કે આ સ્ટાર ઓલરાઉન્ડર ઈજાના કારણે ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકે છેલ્લી બે IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી.

હવે હાર્દિક પંડ્યાને લઈને આવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી MI મેનેજમેન્ટનું ટેન્શન વધી ગયું છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈજાના કારણે હાર્દિક IPL 2024થી બહાર રહી શકે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણીમાં પણ તેના રમવાની કોઈ શક્યતા નથી. BCCIના એક સૂત્રએ મીડિયા સૂત્રને કહ્યું, 'હાર્દિકની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. IPLના અંત પહેલા તેની ઉપલબ્ધતા પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.'

હાર્દિક પંડ્યા ઈજામાંથી બહાર ન આવવો એ પણ ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો હોઈ શકે છે. સૂર્યકુમાર યાદવ પહેલેથી જ ઈજાગ્રસ્ત છે અને તેના અફઘાનિસ્તાન સામેની T-20 શ્રેણીમાંથી બહાર થવાની સંભાવના છે. હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની કપ્તાની સંભાળી હતી. હવે આ બંને ખેલાડીઓની ઈજાના કારણે રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકે છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે ટ્વિસ્ટ થઈ ગયો હતો. તેનું લિગામેન્ટ ફાટી ગયું હતું. જેના કારણે હાર્દિકે વર્લ્ડ કપ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. આ ઉપરાંત તેને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પણ ગુમાવવી પડી હતી. એટલું જ નહીં, હાર્દિક સાઉથ આફ્રિકા પ્રવાસનો પણ ભાગ નથી.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈએ 2015માં હાર્દિકને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક 2015, 2017, 2019 અને 2020માં IPL ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહ્યો છે. IPL 2021 સુધી હાર્દિક મુંબઈ સાથે રહ્યો.

ત્યારપછી 2022ની મેગા ઓક્શન પહેલા હાર્દિકને મુંબઈએ છોડી દીધો હતો. તે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર ચાર ખેલાડીઓને જાળવી શકે તેમ હતી. આટલું જ નહીં, હાર્દિક ઈજાથી પણ ઝઝૂમી રહ્યો હતો, કદાચ તેના કારણે મુંબઈએ આ નિર્ણય લેવો પડ્યો હતો. તે સમયે મુંબઈએ રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કિરોન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp