જે બસમાં હાર્દિક-રાહુલ હશે તે બસમાં પત્ની-દીકરી સાથે નહીં બેસે આ દિગ્ગજ ક્રિકેટર

PC: newsjizz.com

કોફી વીથ કરણમાં પોતાના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવેલા કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની ચારેય બાજુથી ટીકા થઇ રહી છે, જેમાં ભારતીય ટીમના સ્ટાર સ્પીનર હરભજન સિંહે પણ આકરા શબ્દોમાં આ બંને ક્રિકેટરોના સ્ટેટમેન્ટની ટીકા કરી હતી. હરભજન સિંહે એક ટીવી કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આ બંને ખેલાડીઓએ ક્રિકેટરોની સાખને દાવ પર લગાવી દીધી છે.

આ અંગે હરભજન સિંહે કહ્યું હતું કે, અમે મિત્રો સાથે પણ આ પ્રકારની વાતો નથી કરતા અને તેઓ સાર્વજનિકપણે ટેલિવિઝન પર આવી વાતો કરી રહ્યા છે. હવે લોકો એવું વિચારી શકે છે કે, શું હરભજન સિંહ પણ આવો હતો, શું અનિલ કુંબલે પણ આવ્યો કે શું સચિન તેંદુલકર પણ આવો ખેલાડી હતો. હરભજને કહ્યું હતું કે, પંડ્યા ક્યારથી ટીમમાં છે, જે ટીમ સંસ્કૃતિને લઇને આવી વાતો કરી રહ્યો છે.

હરભજન સિંહે એવું પણ કહ્યું હતું કે, તે હવે એ બસમાં બેસવાનું પસંદ નહીં કરે, જેમાં પંડ્યા અને રાહુલ હોય. જો ટીમ બસમાં મારી દીકરી કે પત્નીને લઇને જવી હોય તો અને આ બંને ખેલાડી બસમાં હાજર હશે તો હું તેમાં ટ્રાવેલ નહીં કરું. તમે મહિલાઓને ફક્ત એક જ એંગલથી જુઓ છો, જે ઠીક નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp