શ્રેયસ અને ઇશાનની હકાલપટ્ટી પર જુઓ ઈરફાન પઠાણે શું કહ્યું
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2023-24 પર સવાલ ઉઠાવ્યા છે. શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશનને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી, જ્યારે બંને તેના હકદાર હતા. ઈરફાન પઠાણે શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશનનું સમર્થન કર્યું છે અને BCCIના બેવડા વલણ પર સવાલ ઉઠાવ્યા છે કેમ કે તેણે હાર્દિક પંડ્યા જેવા ખેલાડીને ગ્રેડ-Aમાં સામેલ કર્યો છે. તો શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશન કોઈ પણ ગ્રેડમાં સામેલ નથી.
ઈરફાન પઠાણે ગુરુવારે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, 'શ્રેયસ અને ઇશાન બંને જ પ્રતિભાશાળી ખેલાડી છે. આશા છે કે તેઓ કમબેક કરશે. જો હાર્દિક જેવા ખેલાડી લાલ બૉલ ક્રિકેટ રમવા માગતા નથી, તો શું તેમને અને તેમના જેવા અન્ય લોકોને નેશનલ ડ્યૂટી પર ન હોવા પર સફેદ બૉલવળી ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ? જો એ બધા પર લાગૂ થાય છે તો ભારતીય ક્રિકેટ ઈચ્છા મુજબ પરિણામ હાંસલ નહીં કરી શકે.'
They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this…
— Irfan Pathan (@IrfanPathan) February 29, 2024
BCCIના ક્રાઇટએરિયા છે કે જો કોઈ ખેલાડીએ 1 ઑક્ટોબર બાદ અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર થવા સુધી 3 ટેસ્ટ, 8 વન-ડે કે 10 T20I રમી છે તો તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવે છે. ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યર બંને તેમાં ફિટ બેસે છે. તેમને વાર્ષિક કોન્ટ્રાક્ટની લિસ્ટમાં જગ્યા મળી નથી, જ્યારે 5 મેચો બાદ જ વર્લ્ડ કપ 2023થી બહાર થનાર હાર્દિક પંડ્યાને ગ્રેડ-Aમાં સામેલ કરવામાં આવ્યો છે.
હેરાન કરી દેનારી વાત એ છે કે, ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરને એ કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી નથી કેમ કે બંનેએ રણજી ટ્રોફીને મહત્ત્વ ન આપ્યું. શ્રેયસ ઐય્યર સાથે કંઈક વધુ જ અન્યાય થયો કેમ કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ રણજી ટ્રોફી રમ્યો હતો અને પછી ટેસ્ટ ટીમનો પણ હિસ્સો હતો. એટલું જ નહીં તે તેણે વન-ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં સદી પણ ફટકારી હતી, પરંતુ તેની સાથે પણ એ જ વ્યવહાર સિલેક્ટર્સે કર્યો જે ઇશાન કિશન સાથે કર્યો.
આ જ કારણ છે કે ઈરફાન પઠાણે સિલેક્ટર્સ પર પ્રહાર કર્યો છે કે જો હાર્દિક પંડ્યા જેવા ખેલાડીને તમે ગ્રેડ-Aમાં રાખો છો, અહી સુધી કે તે ટેસ્ટ ક્રિકેટ રમતો નથી, પછી તમે ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યર સાથે એમ શા માટે કરી રહ્યા છો. જેમ હાર્દિક ટેસ્ટ રમવા માગતો નથી, એવી જ રીતે ઇશાન પણ રમવા માગતો નથી, તો તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કેમ થઈ રહ્યો છે. અહી સુધી કે કુલદીપ યાદવ ત્રણેય ફોર્મેટમાં રમવા છતા ગ્રેડ-Bમાં સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp