શું T20 વર્લ્ડ કપમાં દ્રવિડ હશે ટીમ ઈન્ડિયાના કોચ, જય શાહે આપ્યો જવાબ

PC: twitter.com

વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ફાઈનલ સુધી પહોંચાડનાર રાહુલ દ્રવિડ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIએ રાહુલ દ્રવિડને T20 વર્લ્ડ કપ સુધી કોચ તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આમ તો વન-ડે વર્લ્ડ કપ સાથે જ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ બોર્ડ તરફથી તેનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી હતી કે, દ્રવિડ આ વર્ષે જૂન મહિનામાં થનારા T20 વર્લ્ડ કપ સુધી ભારતના ચીફ કોચ બન્યા રહેશે. જય શાહે કહ્યું હતું કે, તેમણે વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં થનારા T20 વર્લ્ડકપ સુધી દ્રવિડને મુખ્ય કોચ બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ કપ બાદ રાહુલભાઈને તરત સાઉથ આફ્રિકાના પ્રવાસે જવું પડ્યું હતું. આ વચ્ચે અમારી મુલાકાત ન થઈ શકે પણ આજે આખરે મળ્યા. તમે રાહુલ દ્રવિડ જેવા સિનિયર વ્યક્તિના કરારને લઈને ચિંતિત કેમ છો. તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાના કોચ બન્યા રહેશે.

BCCIના સેક્રેટરી જય શાહે રાજકોટમાં વિરાટ કોહલીની ગેરહાજરી વિશે વાત કરી હતી. જય શાહે કહ્યું હતું કે, જ્યારે ખેલાડીઓને વ્યક્તિગત કારણોથી રજાની જરૂર હોય છે ત્યારે તેમનું સમર્થન કરવું મહત્વપૂર્ણ હોય છે. જેવું વિરાટ કોહલીના મામલામાં છે. જેણે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં પોતે ઉપલબ્ધ નથી એવું કહ્યું હતું.

જય શાહે કહ્યું કે, જો કોઈ 15 વર્ષમાં પર્સનલ રજા માગી રહ્યો હોય તો આ માગ તેનો અધિકાર છે. વિરાટ એ પ્રકારનો ખેલાડી નથી, જે કોઈ કારણ વગર રજા માગે. આપણે આપણા ખેલાડીઓનું સમર્થન કરવું જોઈએ અને તેમના પર વિશ્વાસ કરવો જોઈએ.

જય શાહે એક પ્રોગ્રામને સંબોધિત કરતા સ્પષ્ટ કરી દીધું કે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથોમાં રહેશે. સાથે જ હાર્દિક પંડ્યા ઉપકેપ્ટન્સી કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. તેનાથી એક દિવસ અગાઉ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડી અને વરિષ્ઠ પ્રશાસક નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું.

જય શાહે કહ્યું કે તેના માટે એક મોટો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં નિરંજન શાહ સ્ટેડિયમ નામનું અનાવરણ જય શાહે કર્યું. આ અવસર પર તેમણે બધાને સંબોધિત કરતા વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળેલી હાર પર વાત કરી. સાથે જ T20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન્સીના નામની પણ જાહેરાત કરી દીધી. જય શાહે કહ્યું કે, 'બધા લોકો મારા નિવેદનની રાહ જોઈ રહ્યા હતા કે હું વર્લ્ડ કપ માટે કેમ કઇ બોલતો નથી. હું તમને બધાને કહેવા માગું છું કે 2023માં અમદાવાદમાં સતત 10 મેચ જીત્યા બાદ ભલે આપણે વર્લ્ડ કપ ન જીત્યો, પરંતુ આપણે દિલ જીત્યું છે, પરંતુ હું તમને વાયદો કરું છું કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2024માં બાર્બાડોસમાં આપણે જરૂર ભારતનો ઝંડો ગાડીશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp