રોહિતે ફાઈનલની હાર પર દિલ ખોલીને વાત કરી, કહ્યું- આગળ વધવું સરળ નહોતું, પરંતુ...

PC: amarujala.com

19 નવેમ્બરની રાત ભારતીય ક્રિકેટ ટીમ અને ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ખૂબ જ મુશ્કેલ રાત રહી હશે, કારણ કે તે દિવસે ભારતીય ટીમ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. આ હાર પછી કેપ્ટન રોહિત શર્મા કંઈ બોલ્યો નહીં અને ઘરે કે પરિવાર સાથે રજાઓ મનાવતો જોવા મળ્યો. તેઓ આમાંથી આગળ વધવા માંગતા હતા, પરંતુ આ હાર પચાવવી મુશ્કેલ હતી. લગભગ એક મહિના પછી રોહિત શર્માએ આ અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે, આગળ વધવું ખૂબ મુશ્કેલ હતું.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સૂત્રો સાથે શેર કરેલા એક વીડિયોમાં કહ્યું, 'ફાઈનલ પછી, પાછા આવવું અને આગળ વધવાનું શરૂ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, તેથી જ મેં નક્કી કર્યું કે મારે તેને મારા દિમાગમાંથી કાઢી નાખવું જોઈએ, પરંતુ હું જ્યાં પણ હતો ત્યાં, મને સમજાયું કે લોકો મારી પાસે આવી રહ્યા છે અને તેઓ અમારા બધાના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે કે અમે ખૂબ જ સારી રીતે રમ્યા. હું તે બધા માટે અનુભવું છું. તેઓ બધા અમારી સાથે મળીને તે વિશ્વકપ અમારા હાથથી ઉઠાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા.'

તેણે વધુમાં ઉમેર્યું હતું કે, 'આ સમગ્ર અભિયાન દરમિયાન અમે જ્યાં પણ ગયા, ત્યાં સ્ટેડિયમમાં આવનાર દરેક વ્યક્તિનો અને ઘરેથી જોનારા લોકો તરફથી પણ ઘણો સપોર્ટ મળ્યો. લોકોએ અમારા માટે જે કર્યું છે તેના માટે હું આભારી છું. તે દોઢ મહિનાના સમયગાળામાં લોકોએ અમારા માટે જે કંઈ પણ કર્યું, હું તેની પ્રશંસા કરવા માંગુ છું, પરંતુ પછી જો હું તેના વિશે વધુને વધુ વિચારું તો હું ખૂબ નિરાશ છું કે, અમે બધી રીતે આગળ વધવા માટે સક્ષમ નથી.' ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ સુધી કુલ 10 મેચ રમી અને તે તમામમાં જીત મેળવી, પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો.

રોહિત શર્માએ પ્રશંસકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન વિશે વધુમાં કહ્યું, 'લોકો મારી પાસે આવે છે અને મને કહે છે કે, તેઓને ટીમ પર ગર્વ છે, તેથી તમે જાણો છો, મને તેનાથી સારું લાગ્યું હતું. તેમની સાથે, હું પણ સ્વસ્થ થઈ રહ્યો છું. મને લાગ્યું કે, ઠીક છે, આ તે વાતો છે જે, તમે સાંભળવા માંગો છો. જ્યારે લોકો સમજે છે કે, કોઈ ખેલાડી અત્યારે કેવા સમયમાંથી પસાર થઇ રહ્યો હશે, ત્યારે તેઓ તે હતાશા અને ગુસ્સાને બહાર લાવવાનું જાણતા નથી. તે મમરા માટે ખુબ મોટી વાત છે. તે ચોક્કસપણે ઘણો મોટો અર્થ ધરાવે છે. હું, કારણ કે ત્યાં કોઈ ગુસ્સો ન હતો, તે લોકોનો શુદ્ધ પ્રેમ હતો, જેને હું મળ્યો હતો અને તે જોવાનું અદ્ભુત હતું. તે જ તમને પાછા આવવા અને ફરીથી કામ કરવાનું શરૂ કરવા માટે પ્રેરિત કરે છે. આગળ વધવા અને બીજું અંતિમ ઇનામ મેળવવાની પ્રેરણા આપે છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Team Ro (@team45ro)

હિટમેને વધુમાં ઉમેર્યું, 'હું હંમેશા 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. મારા માટે તે ખુબ જ મોટું ઈનામ હતું, 50 ઓવરનો વર્લ્ડ કપ. અમે તે વર્લ્ડ કપ માટે આટલા વર્ષો સુધી કામ કર્યું છે અને તે નિરાશાજનક છે, શું છે ને? જો તમે આમાં સફળ નહીં થાવ, તો તમને તે મળશે નહીં, જે તમે ઇચ્છો છો, તમે અત્યાર સુધી શું શોધતા હતા, તમે કોનું સપનું જોતા હતા. તમે તેથી નિરાશ થઇ જાઓ છો. તમે ઘણી-ઘણી વખત નિરાશ થઇ જાઓ છો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp