સરફરાઝની જર્સી નંબર 97ની કહાની રસપ્રદ છે, પિતા નૌશાદ ખાનના નામ સાથે કનેક્શન છે
![](https://khabarchhe.com/uploads/mc_path/1708074587Sarfaraz-Jersey-Number.jpg)
મુંબઈનો સરફરાઝ ખાન ભારતનો 311મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં તેને તેની પ્રથમ ટેસ્ટ કેપ મળી હતી. સરફરાઝને વિકેટકીપર ધ્રુવ જુરેલ સાથે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી હતી. વિરાટ કોહલી અને KL રાહુલની ગેરહાજરીને કારણે સરફરાઝને ડેબ્યૂ કરવાની તક મળી. મહાન અનિલ કુંબલેએ તેને તેની પ્રથમ ટેસ્ટ કેપ આપી.
સરફરાઝ ખાને પોતાના જર્સી નંબર તરીકે 97 પસંદ કર્યા છે. તેમનો આ અનોખો નંબર તેમના પિતા નૌશાદ ખાન સાથે જોડાયેલો છે. તેમણે જ સરફરાઝને કોચિંગ આપ્યું છે. નૌશાદ મુંબઈ ક્રિકેટના પ્રખ્યાત કોચ છે. 97 નંબરમાં 9 (નવ) અને 7 (સાત) છે. તે તેના પિતાના નામ સાથે જોડાયેલું છે. સરફરાઝનો ભાઈ મુશીર પણ અંડર-19 વર્લ્ડ કપ 2024માં 97 નંબરની જર્સી પહેરીને રમી રહ્યો હતો.
સરફરાઝ ખાને તેના પિતા સાથે કેપ મેળવવાની ભાવનાત્મક ક્ષણ શેર કરી. જ્યારે તેમના પુત્રને કેપ મળી ત્યારે નૌશાદ ખાન મેદાનમાં જ હતા. આ દરમિયાન તેની આંખમાં આંસુ આવી ગયા. સરફરાઝ જ્યારે તેની પાસે પહોંચ્યો ત્યારે તેણે કેપ લઈને તેને કિસ કરી હતી. સરફરાઝે તેના પિતાને ગળે લગાવ્યા. 25 વર્ષના સરફરાઝ ખાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 70થી વધુની એવરેજથી 3912 રન બનાવ્યા છે.
સરફરાઝના સમાવેશ ઉપરાંત, ધ્રુવ જુરેલને પણ તેની ડેબ્યૂ કેપ મળી. ભારતીય ટીમે આ મેચમાં 4 ફેરફાર કર્યા છે. KS ભરતની જગ્યાએ જુરેલને તક મળી. રવીન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થયા પછી ટીમમાં પાછો ફર્યો છે, તેનો અક્ષર પટેલની જગ્યાએ સમાવેશ કરવામાં આવ્યો છે. મુકેશ કુમારની જગ્યાએ મોહમ્મદ સિરાજે પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી છે.
અનિલ કુંબલેએ સરફરાઝ ખાનને ડેબ્યૂ કેપ આપી હતી. આ સાથે સરફરાઝે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ શુભમન ગિલનો ખાસ રેકોર્ડ તોડ્યો છે. જ્યારે શુભમન ગીલે ડેબ્યુ કર્યું ત્યારે 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેની એવરેજ 68.78 હતી, જ્યારે ખાનની એવરેજ તેના કરતા સારી છે. સરફરાઝે 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69.85ની એવરેજથી 4900થી વધુ રન બનાવ્યા છે. જેમાં એક ત્રિપલ સદી સહિત 14 સદી સામેલ છે.
જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ સમયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સરેરાશનો રેકોર્ડ હજુ પણ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલીના નામે છે. કાંબલીએ 27 મેચમાં 88.37ની એવરેજથી રન બનાવ્યા હતા, જ્યારે બીજા સ્થાને અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરના કોચ પ્રવીણ આમરે છે. તેણે 23 ટેસ્ટમાં 81.23ની એવરેજથી રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp