'તમે મને જોઈ શકશો નહીં', આ રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે વિરાટ... જણાવી યોજના

PC: crickettimes-com.translate.goog

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની યોજનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા તે પહેલા લાંબો બ્રેક લેશે. કોહલી હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ભાગ છે.

જૂનમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય અભિયાન મોટાભાગે કોહલીના પ્રદર્શન પર નિર્ભર રહેશે. હવે કોહલીએ પોતાના રિટાયરમેન્ટ પ્લાન વિશે જણાવીને ફેન્સમાં હલચલ મચાવી દીધી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે તેની IPLમાં મહત્વની મેચ રમવાની છે. જે RCBને પ્લેઓફના દૃષ્ટિકોણથી કોઈપણ ભોગે જીતવું પડશે.

આ મેચ પહેલા, બેંગલુરુમાં આયોજિત RCBના રોયલ ગાલા ડિનરમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કોહલીને તેની નિવૃત્તિ યોજના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

35 વર્ષીય કોહલીએ કહ્યું, 'તે એકદમ સરળ છે, મને લાગે છે કે, એક ખેલાડી હોવાને કારણે અમારી કારકિર્દીની એક અંતિમ તારીખ હોય છે, હું મારી કારકિર્દીને એ વિચારીને સમાપ્ત કરવા નથી માંગતો કે 'ઓહ, હવે તે શું કરશે તે ખાસ દિવસે?'

કોહલીએ વધુમાં કહ્યું કે, હું હંમેશા એકધારી ગતિએ ચાલી શકીશ નહીં. તેથી, હું મારી પાછળ કોઈપણ કાર્ય અધૂરું છોડીને નહીં જાઉં, અને હું કોઈ અફસોસ કરવા પણ માંગતો નથી.

આ દરમિયાન કોહલીએ એવો પણ સંકેત આપ્યો હતો કે, તે ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા લાંબો બ્રેક લેશે. આ પહેલા કોહલી ઘણીવાર પોતાની નિવૃત્તિની યોજના અંગે મૌન રહેતો હતો. કોહલીએ કહ્યું, એકવાર મારું કામ (ક્રિકેટ સફર) પૂર્ણ થઈ જશે, હું ચાલ્યો જઈશ, તમે મને થોડા સમય માટે જોઈ શકશો નહીં (હસતાં). તેથી જ્યાં સુધી હું રમી રહ્યો છું, ત્યાં સુધી હું મારું સર્વસ્વ આપવા માંગુ છું, આ જ એકમાત્ર વસ્તુ છે જે મને આગળ વધાર્યે રાખે છે.

IPL 2024માં કોહલી જોરદાર રમત રમી રહ્યો છે. તેણે 13 ઇનિંગ્સમાં 155.16ની સ્ટ્રાઇક રેટ અને 66.10ની એવરેજથી 661 રન બનાવ્યા છે. કોહલીના નામે પાંચ અડધી સદી અને એક સદી છે. જ્યારે RCB હાલમાં IPL પોઈન્ટ ટેબલમાં 13 મેચમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

18 મેના રોજ, તેઓ ત્રીજા સ્થાને રહેલી CSK સામે ટકરાશે, જેની પાસે 13 મેચમાંથી 14 પોઈન્ટ છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે, RCBએ CSKના નેટ રન રેટ (NRR)ને વટાવી નિર્ણાયક જીત હાંસલ કરવી પડશે. CSKનો NRR +0.528 છે, જ્યારે RCBનો +0.387 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp