બાળક એવું જ બનશે જેવું ઘરનું વાતાવરણ હશે

બાળકોના વિકાસમાં સુખ-સગવડની સાથોસાથ એક વાતાવરણ સૌથી વધુ તેના માનસ પર અસર કરે છે. બાળકોના વિકાસમાં એમના પરિવારની સૌથી મોટી ભૂમિકા હોય છે. બાળક જે વાતાવરણમાં રહે છે એ જ વર્તણૂંક અને વ્યવહાર તે શીખે છે. માતા-પિતાની જાણતા-અજાણતા થયેલી ભૂલને કારણે બાળકોએ ભોગવવું પડ્યું હોય એવું અનેક વખત બન્યું છે. માતા-પિતામાં કોઈ મનમેળ ન હોય તો બાળકના માનસ પર તેની માઠી અસર થાય છે. ભાષાની દ્રષ્ટિએ ઘરમાં કોઈ પ્રકારનું સંતુલન ન હોય તો પણ ઘરમાં એક તણાવનો માહોલ જોવા મળે છે. બાળકો માટે ઘરનો માહોલ કેવો હોવો જોઈએ એ અંગે સ્પષ્ટતા કરે છે સાયકોલોજીસ્ટ તથા પેરેન્ટિગ એક્સપર્ટ નમ્રતાસિંહ

વાલીઓ શું કરે છે?

વાલીઓ એકબીજાનું સન્માન કરતા નથી. બાળકોની સામે લડાઈ-ઝઘડા કરે છે. આ ઝઘડામાં હલકી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક તેઓ એકબીજાને અપશબ્દો પણ કહે છે. મોટાભાગે એકબીજાના પરિવાર અને માતા-પિતાને લઈને ખોટી કોમેન્ટ કરવામાં આવે છે. ક્યારેક અલગ રહેવા અને તલાક જેવા મુદ્દાઓ પણ બાળક સામે ઉચ્ચારે છે.

બાળકો પર કેવી અસર?

આવી પરિસ્થિતિમાં બાળકોની ગુસ્સાની ભાવના વધી જાય છે. બાળકો આક્રમક વ્યવહાર કરવા લાગે છે. સામાન્ય વાતમાં પણ તેઓ બૂમબરાડા પાડવા લાગે છે. ઊંચા અવાજે વાતો કરવા લાગે છે. ઘણી વખત બાળકો ગુસ્સામાં વાલીઓ ઉપર પણ હાથ ઉપાડી લે છે. શરૂઆતમાં બાળકો વાલીઓ વચ્ચેની લડાઈમાં કોઈની તરફેણ કરતા નથી. પણ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ એ કોઈ એકનો પક્ષ લેવા લાગે છે અને લડાઈમાં સામિલ થઈ જાય છે. અભ્યાસમાં તેનું મન ઓછું લાગે છે. પરિણામમાં માર્ક પણ ઓછા આવે છે. સ્કૂલે જવાની ના પાડી દે છે અથવા સ્કૂલે જવાનું જ બંધ કરી દે છે. ઘરમાં રહીને ગેમ રમવા લાગે છે એવું અનેક વખત જોવા મળ્યું છે. કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવી જાય છે. નવા લોકોને ખુલીને મળી શકતા નથી. નાની વાતમાં તેઓ ખૂબ ઝડપથી દુઃખી થઈ જાય છે.

શું કરવું જોઈએ?

વાલીઓએ પોતાના મતભેદની વાત બાળકો સામે ન કરવી જોઈએ. આવા મુદ્દાઓ એમનાથી દૂર રાખવા જોઈએ. બાળકોને વાલીઓની મોટી વાત જણાવીને બાળકો પાસેથી એવી સહાનુભુતી લેવાનો પ્રયત્ન ન કરે. વાલીઓ એકબીજાનું સન્માન કરે. એટલું જ નહીં બાળકોને પણ સન્માન કરતા શીખવે. જો બાળકમાં ઉપરના કોઈ લક્ષણ જોવા મળે તો સતર્ક થઈ જાવ. પોતાના પર અકુંશ જાળવો અને તેમ છતાં બાળકમાં એ યથાવત રહે તો કોઈ સારા કાઉન્સેલરને મળીને ફેમિલી કાઉન્સેલિંગ કરાવો.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.