નેધરલેન્ડ્સમાં મળ્યા 2000 વર્ષ જૂના 2 રોમન મંદિરો, જાણો તેની ખાસિયતો
નેધરલેન્ડમાં 2000 વર્ષ જૂનું એક રોમન મંદિર મળી આવ્યું છે. આ દેશમાં મળી આવેલું આ પહેલું રોમન મંદિર છે. એક ખાનગી પુરાતત્વ સંસ્થા RAAP દ્વારા તેની શોધ કરવામાં આવી છે. આ મંદિર નેધરલેન્ડ અને જર્મનીની બોર્ડર પાસે ગેલ્ડરલેન્ડ નામના વિસ્તારમાં મળી આવ્યું છે. નેધરલેન્ડમાં આ પહેલા પણ ધાર્મિક રોમન વસ્તુઓ મળી આવી છે, પરંતુ પ્રથમ વખત બે મંદિરો એક સાથે મળી આવ્યા છે. ગેલ્ડરલેન્ડના પૂર્વ-મધ્ય ભાગ સ્થિત હેરવિન-હેમેલિંગ નામના ગામમાં થયેલા ખોદકામ દરમિયાન બંને મંદિરો મળી આવ્યા છે. પુરાતત્વવિદો કહે છે કે, તે રોમન ચૂનાના અવશેષો જેવા જ છે. રોમન સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ચોકીઓ અને કિલ્લેબંધી દીવાલો બનાવવામાં આવી હતી. તે જર્મન જનજાતિઓના આક્રમણથી સુરક્ષા આપતી હતી.
લાઈમ્સ જર્મનીક્સને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ જ વિસ્તારમાં લાંબા સમયથી ખોવાયેલા રોમન મંદિર સંકુલની શોધથી રોમન સંસ્કૃતિ વિશે નવી અને મૂલ્યવાન માહિતી બહાર આવી છે. RAAPનું કહેવું છે કે, અમે પહેલાથી જ જાણતા હતા કે ખોદવામાં આવેલી જગ્યા પર રોમન ચોકીઓ અને વસાહતો હતી. તેને કલાપ્રેમી પુરાતત્વવિદો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અહીં રોમન સામ્રાજ્ય સાથે સંબંધિત કંઈક મોટું મળી શકે છે.
કલાપ્રેમી પુરાતત્વવિદોએ 2021માં ત્યાં કેટલીક પ્રાચીન રોમન કલાકૃતિઓ શોધી કાઢી હતી. આ પછી સત્તાવાર રીતે ખોદકામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. પાછળથી જાણવા મળ્યું કે, અહીં બે રોમન મંદિરોના અવશેષો છે. તેનો ઉપયોગ પ્રથમ અને પાંચમી સદીની વચ્ચે થતો હતો. આમાંનું એક ગેલો-રોમન મંદિર હતું, જે એક ટેકરી પર બાંધવામાં આવ્યું હતું.
બીજું મંદિર નાનું હતું. તે પહેલા મંદિરથી માત્ર થોડાંક જ મીટરના અંતરે આવેલું હતું. પુરાતત્વવિદો માને છે કે, અન્ય રોમન મંદિરોની જેમ, તે પણ રોમન સૈનિકો માટે એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક મેળાવડાનું સ્થળ હોવાનું જણાય છે.
#Archaeologists have found the first-ever Roman era #temples to be found in the #Netherlands, albeit in a region known for its #Roman fortifications and settlements. https://t.co/oYxF0r7zUC pic.twitter.com/4IVcW5LFsk
— Ancient Origins (@ancientorigins) June 21, 2022
કલ્ચરલ હેરિટેજ એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉંચા હોદ્દાવાળા રોમન અધિકારીઓ દ્વારા તેમની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન અથવા દેવીનો આભાર માનવા માટે ડઝનબંધ પથ્થરો ઊભા કરવામાં આવ્યા હતા, જેને માનતાના પથ્થર કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp