ઇજિપ્તમાં મળી બુદ્ધની પ્રતિમા અને સંસ્કૃતમાં લખેલા શિલાલેખ, મળ્યું ભારત કનેક્શન

PC: pcma.uw.edu.pl

ઇજિપ્તમાં લાલ સાગર પાસે આવેલા બેર્નિસના પ્રાચીન પોર્ટમાં મહાત્મા બુદ્ધની એક પ્રતિમા મળી આવી છે. બુદ્ધની આ પ્રતિમા બીજી સદીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ શોધથી સંકેત મળે છે કે, રોમન સામ્રાજ્ય અને ભારતની વચ્ચે વ્યાપારિક સંબંધ હતા. 71 સેન્ટીમીટર લાંબી પ્રતિમાની ચારેબાજુએ આભામંડળ છે અને તેની બાજુમાં એક કમળનું ફૂલ બનેલું દેખાઈ રહ્યું છે. મિસ્ત્રના પુરાવશેષ મંત્રાલયના એક નિવેદનમાં બુધવારે કહેવામાં આવ્યું કે, એક પોલિશ-અમેરિકી મિશને પ્રતિમાની શોધ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, બોર્નિસમાં પ્રાચીન મંદિરમાં ખોદકામ દરમિયાન રોમન કાળની પ્રતિમા શોધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇજિપ્તની સર્વોચ્ચ પુરાવશેષ પરિષદના પ્રમુખ મુસ્તફા અલ-વઝીરીએ કહ્યું, આ શોધથી રોમન સામ્રાજ્ય દરમિયાન ઇજિપ્ત અને ભારતની વચ્ચે વ્યાપાર સંબંધોની હાજરીના મહત્ત્વપૂર્ણ સંકેત મળ્યા છે.

શોધકર્તાઓએ બુદ્ધની જે પ્રતિમા શોધી છે, તેનો જમણો હિસ્સો અને જમણો પગ ગાયબ છે. 71 સેન્ટીમીટર ઊંચી બુદ્ધની પ્રતિમાની ચારેબાજુએ એક આભામંડળ બનેલું છે અને તેની બાજુમાં એક કમળનું ફૂલ પણ બનેલું દેખાઈ રહ્યું છે. વઝીરીએ કહ્યું કે, બેર્નિસ રોમન યુગના ઇજિપ્તમાં સૌથી મોટા પોર્ટ પૈકી એક હતું. આ પોર્ટથી ભારત અને દુનિયાના બાકી દેશોમાંથી મસાલા, કિંમતી પથ્થર, કપડાં અને હાથી દાંત ઇજિપ્ત મોકલવામાં આવતા હતા. પોર્ટ પર સામાન આવ્યા બાદ તેને ઊંટો પર રણને પાર નીલ નદી સુધી પહોંચાડવામાં આવતો હતો. આયાત કરેલા સામાનને ઇજિપ્તના બીજા સૌથી મોટા શહેર એલેક્ઝેન્ડ્રિયા અને ત્યાંથી બાકી રોમન સામ્રાજ્યને મોકલવામાં આવતો હતો.

મિશનની પોલિશ ટીમના નિદેશક મારિયસ ગ્વિઆજ્દાએ કહ્યું કે, બુદ્ધની મૂર્તિ કદાચ ઇસ્તાંબૂલના દક્ષિણના એક ક્ષેત્રમાંથી કાઢવામાં આવેલા પથ્થરમાંથી બનાવવામાં આવી હતી અથવા તો બની શકે કે, સ્થાનિક રૂપથી બેર્નિસમાં જ બનાવવામાં આવી હોય અને ભારતના ધનવાન વ્યાપારીઓએ આ ઇજિપ્તના મંદિરને ગિફ્ટના રૂપમાં આપી હોય. પુરાતત્વવિદોએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે, મંદિરના ખોદકામ દરમિયાન તેમને રોમન માર્કસ જૂલિયસ ફિલિપ્સ (244થી 249) ના દોરનો એક શિલાલેખ પણ મળ્યો છે જે સંસ્કૃતમાં છે.

મિશનમાં અમેરિકી ટીમના નિદેશક સ્ટીવન સાઇડબોથમે કહ્યું, એવુ લાગે છે કે, સંસ્કૃતમાં લખેલો આ શિલાલેખ એ સમયમાં બન્યો નહીં હોય જે સમયની બુદ્ધની મૂર્તિ છે. કદાચ આ ખૂબ જ જૂનું છે કારણ કે, મંદિરમાં ખોદકામ દરમિયાન અમને બીજી શિલાલેખો પણ મળી છે. આ શિલાલેખ પહેલી શતાબ્દીની છે. કોવિડ મહામારીએ ઇજિપ્તના પર્યટનને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. ઇજિપ્તની અર્થવ્યવસ્થામાં 10 ટકા હિસ્સો પર્યટનનો છે. હાલના વર્ષોમાં કોવિડે પોતાના પર્યટનને પુનર્જીવિત કરવા માટે ઘણા ઉપાય કર્યા છે.

દેશ નિયમિતરીતે પુરાતાત્વિક શોધોની જાહેરાત કરી રહ્યું છે જેથી પર્યટનને પ્રોત્સાહન આપી શકાય. મહામારી પહેલા પ્રતિ વર્ષ ઇજિપ્તમાં 130 લાખ પર્યટક આવતા હતા પરંતુ, સરકારનું લક્ષ્ય 2028 સુધી તેને 3 કરોડ સુધી વધારવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp