PM મોદીના 'મિત્ર' નવીન રામગુલામ બન્યા મોરેશિયસના PM, બિહાર સાથે છે ખાસ જોડાણ

PM નરેન્દ્ર મોદીએ સોમવારે નવીન રામગુલામ સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ બંને દેશો વચ્ચેની 'વિશેષ અને અનન્ય ભાગીદારી'ને આગળ વધારવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છે. મોરેશિયસના વર્તમાન PM પ્રવિંદ જુગનાથના ગઠબંધન L'Aliance Lepapeને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

મોરેશિયસના PM પ્રવિંદ જગનાથને સંસદીય ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે, તેમનું ગઠબંધન હાર તરફ આગળ વધી રહ્યું છે. તેઓ 2017થી દેશના PM હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું. 'તેમનું ગઠબંધન મોટી હાર તરફ આગળ વધી રહ્યું છે. મારા દેશ માટે હું જે પણ કરી શકતો હતો, તે મેં કરી બતાવ્યો છે. જનતાએ બીજી ટીમને પસંદ કરવાનું નક્કી કર્યું છે. હું દેશને શુભેચ્છા પાઠવું છું.'

અહેવાલો અનુસાર, એલાયન્સ ઓફ ચેન્જના નેતા નવીન રામગુલામ (77) હિંદ મહાસાગરમાં આ દ્વીપસમૂહના આગામી નેતા બનવા જઈ રહ્યા છે. આ પછી PM નરેન્દ્ર મોદીએ ફોન પર ડૉ.નવીન રામગુલામને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, 'મારા મિત્ર નવીન રામગુલામ સાથે ઉષ્માભરી વાતચીત કરી અને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા. મેં તેમને મોરેશિયસનું નેતૃત્વ કરવામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. હું અમારી વિશેષ અને અનન્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા આતુર છું.'

ડૉ. નવીન રામગુલામ તેમના ગઠબંધન અલાયન્સ ઑફ ચેન્જના વડા તરીકે ત્રીજી વખત મોરેશિયસના PM તરીકે શપથ લેશે. PM મોદીએ જે રીતે તેમને પોતાના મિત્ર તરીકે સંબોધ્યા છે, તે મોરેશિયસ અને ભારત વચ્ચેની મિત્રતાની ઊંડાઈ પણ દર્શાવે છે.

આ ઉપરાંત, ડૉ.નવીન રામગુલામનું ભારતના રાજ્ય બિહાર સાથે પણ ખાસ જોડાણ છે. ખરેખર, મોરેશિયસના નવા ચૂંટાયેલા PM નવીન રામગુલામના પૂર્વજો બિહારના રહેવાસી હતા. 1800ના દાયકામાં, તેમના પૂર્વજો હરિગાંવ, ભોજપુર, બિહારમાં રહેતા હતા. ત્યાર પછી તેઓ મોરેશિયસ નીકળી ગયા હતા. ત્યારથી તેમનો પરિવાર ત્યાં જ રહે છે. અહીં તમને જણાવી દઈએ કે, મોરેશિયસમાં એવા ઘણા લોકો રહે છે જેનું બિહાર સાથે કનેક્શન છે. બિહારી લોકો મોરેશિયસમાં ઘણા મોટા હોદ્દા ધરાવે છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.