સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કોરોના અને વેક્સીનથી હાર્ટ એટેકનું કેટલું જોખમ?

હાલના દિવસોમાં હાર્ટ એટેકના વધતા કેસોને ઘણા લોકો કોરોના વાયરસ અને તેની વેક્સીનની સાઇડ ઇફેક્ટ સાથે જોડીને જોઈ રહ્યા છે. જો કે, હવે તેને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને મોટી જાણકારી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોરોના સંક્રમણ બાદ હાર્ટ એટેકનું જોખમ વેક્સીન લીધા બાદની તુલનામાં 4-5 ટકા વધારે છે.

સૌમ્યા સ્વામીનાથને એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, એ સારી રીતે સ્થાપિત છે કે કોરોના વાયરસ સંક્રમણ બાદ હાર્ટ એટેક, સુગર, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. કોરોના વાયરસ બાદ હાર્ટ એટેક આવવાનું જોખમ વેક્સીનેશન બાદની તુલનમાં 4-5 ટકા વધારે છે. કોરોના વાયરસ સંક્રમણ બાદ આવનારા હાર્ટ એટેક પોતાની જાતમાં એક મુખ્ય જોખમકારક છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઘણા અન્ય વિશેષજ્ઞોએ વારંવાર ચેતવણી આપી કે કોરોના સંક્રમણ હાર્ટ એટેક, તંત્રીકા તંત્રની નિષ્ફળતા સહિત ઘણી ઘાતક બીમારીઓનું કારણ હોય શકે છે. કોરોના વેક્સીન લગાવનારાને કોરોના વાયરસનું સંક્રમણનું કેટલું જોખમ છે? આ સવાલના જવાબમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું કે, એક નાનકડું જોખમ એ છે કે કોરોના વાયરસ આ પ્રકારે મ્યૂટેટ થઈ જશે કે વેક્સીનથી મળનારી ઇમ્યુનિટી તેની વિરુદ્ધ બેઅસર થઈ જાય, એટલે તેના પર સતત દેખરેખ રાખવી જરૂરી છે.

આ અગાઉ બ્રિટનના પ્રસિદ્ધ ‘રોયલ સોસાયટી ઓફ મેડિસિન’ જર્નલમાં પ્રકાશિત એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, લાંબા સમય સુધી કોરોનાથી પ્રભાવિત થઈ રહેલા 59 ટકા દર્દીઓમાં શરૂઆતી લક્ષણ સામે આવવાના લગભગ એક વર્ષ બાદ અંગ ખરાબ થવાના કેસ સામે આવ્યા છે. તેમાં એ દર્દી પણ સામેલ છે, જે પહેલી વખત સંક્રમિત થયા બાદ ગંભીર રૂપે બીમાર પડ્યા નહોતા. આ શોધમાં એવા 536 લોકોને સામેલ કરવામાં આવ્યા, જે લાંબા સમય સુધી કોરોના વાયરસથી પ્રભાવિત રહ્યા અને આ દરમિયાન તેમણે શ્વાસ લેવામાં પરેશાની અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.

સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, આ 536 દર્દીઓમાં પહેલી વખત સંક્રમણની પુષ્ટિ થવાના 6 મહિના બાદ અંગ સારી રીતે કામ ન કરવાની જાણકારી સામે આવી. સંશોધનકર્તાએ 6 મહિના બાદ આ દર્દી પર 40 મિનિટ લાંબુ ‘મલ્ટી ઓર્ગન MRI સ્કેન’ કર્યું. તેના નિષ્કર્ષથી આ વાતની પુષ્ટિ થઈ કે લાંબા સમય સુધી કોરોના વાયરસથી પ્રભાવિત રહેલા 29 ટકા દર્દીના ઘણા અંગ ખરાબ થઈ ગયા, જ્યારે સંક્રમિત થવાના લગભગ 1 વર્ષ બાદ 59 ટકા દર્દીના એક અંગે કામ કરવાનું બંધ કરી દીધું.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.