હિમાચલનાં મંત્રી અનિરુદ્ધ કહે-BJPના 2 ભાગ થવાના છે,ઘણા નેતા કોંગ્રેસના સંપર્કમાં

PC: deccanherald.com

હિમાચલ પ્રદેશની 4 લોકસભા સીટ સાતમા અને અંતિમ ચરણમાં મતદાન થવાનું છે. લોલસભાની ચુનાની સાથે જ 6 વિધાનસભા ક્ષેત્રમાં પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. 3 અન્ય વિધાનસભા ક્ષેત્રમાં પણ જલદી જ પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે વાર પલટવારનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. ભાજપ મોટા ભાગે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખૂના નેતૃત્વવાળી સરકારને અસ્થિર કરાર આપી રહી છે.

ભાજપે દાવો કર્યો છે કે 4 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત મુખ્યમંત્રી બનવા સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ ભાજપની સરકાર બની જશે. હવે કોંગ્રેસ સરકારના મંત્રીએ દાવો કરી દીધો છે કે ભાજપના ઘણા નેતા તેમના સંપર્કમાં છે. અનિરુદ્ધ સિંહે કહ્યું કે, નેતા પ્રતિપ‌‍ક્ષ જયરામ ઠાકુરનો સત્તા લોભ જઇ રહ્યો નથી. તેઓ સત્તા હાંસલ કરવા માટે ખોટા હાથકંડા અપનાવી રહ્યા છે. તેમની જ લાલચે રાજ્યને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. ભાજપના બે ભાગ થવાના છે અને પાર્ટી પોતાનો પક્ષ સંભાળી શકતો નથી.

ભાજપના ઘણા ધારાસભ્ય પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં છે જે ગમે ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે આવી શકે છે. ભાજપના ઘણા નેતા પાર્ટીથી નારાજ થઈને પોતાનું રાજીનામું આપી દીધું છે, પરંતુ જયરામ ઠાકુર માત્ર મુખ્યમંત્રીની લાલચમાં ફસાયા છે. અનિરુદ્ધ સિંહે કહ્યું કે, વિશ્વાસઘાત કરનાર નેતાઓને જનતા વિધાનસભાની પેટાચૂંટણીમાં પાઠ ભણાવશે. ભાજપ બળવાખોરોને કઠપૂતળીની જેમ ઉપયોગ કરી રહી છે અને ધનબળથી જનાદેશને પ્રભાવિત કરીને સત્તા પર કબજો કરવાનું ષડયંત્ર રચ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ઓછામાં ઓછા ભાજપના નેતાઓએ પોતાના વરિષ્ઠ નેતા શાંતા કુમારની વાત પર આત્મચિંતન કરવું જોઈએ. તેમણે દિલ પર હાથ રાખીને પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારની વાતો પર વિચાર કરવાની જરૂરિયાત છે. કોંગ્રેસના બળવાખોરોને ટિકિટ મળવાથી ભાજપનું ષડયંત્ર હિમાચલ પ્રદેશની જનતા સામે આવી ગયું છે. રાજ્યની જનતા જાણી ચૂકી છે કે હિમાચલ પ્રદેશની ચૂંટાયેલી લોકપ્રિય સરકાર પાડવાનું ષડયંત્ર ભાજપના નેતાઓએ બળવાખોરો સાથે મળીને રચ્યું છે. એ વાત સાબિત થઈ ચૂકી છે કે હિમાચલ પ્રદેશમાં હોર્સ ટ્રેડિંગ થઈ, પરંતુ હિમાચાલની જનતા આવી રાજનીતિમાં વિશ્વાસ રાખતી નથી અને એક જૂને તેનો જડબાતોડ જવાબ આપશે.

અનિરુદ્ધ સિંહે કહ્યું કે, જે બળવાખોરોએ પોતાની મા સમાન પાર્ટીની પીઠમાં છરો ભોક્યો છે, તેઓ ક્યારેય સાચા જનસેવક નહીં હોય શકે. આ નેતાઓએ અવસવાદી બનીને પોતાના મતવિસ્તારની જનતાની ભાવનાનું અપમાન કર્યું છે કેમ કે મતદાતાઓએ તેમને કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર જીતાડ્યા હતા. હવે સ્વાર્થ માટે એવા નેતા ક્યારેય પણ પોતાના મતવિસ્તારની જનતાને હરાજી કરતા પાછળ નહીં હટે. એટલે બળવાખોરોની હાર નિશ્ચિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp