કચ્છના જાડેજાઓની શક્તિસિંહ ગોહીલ સામે કેમ નારાજગી છે, જાણો

PC: facebook.com/pg/ShaktisinhGohilOfficial

કોંગ્રેસની યાદી વિલંબમાં પડવાના અનેક કારણો છે. જેમાં એક કારણ શકિતસિંહ ગોહીલ પણ હતા, ગોહીલ પોતે કઈ બેઠક ઉપરથી ચુંટમી લડવા માગે છે તે મુદ્દે તેઓ સ્પષ્ટ ન્હોતા. તેમની નજર કચ્છની માંડવી, ગાંધીનગર ઉત્તર અને ભાવનગર ઉપર હતી, પણ હવે કચ્છની માંડવી બેઠક નક્કી થઈ ગઈ છે, પણ હવે કચ્છની માંડવી બેઠકના જાડેજાઓ નારાજ થઈ ગયા છે. અને તેમણે શકિતસિંહ સામે પ્રદેશ સમિતિ ખાતે આવી નારાજગી વ્યકત કરી છે.

ચુંટણીના એક વર્ષ અગાઉ કચ્છના સિનિયર નેતા નવલસિંહ જાડેજાએ શકિતસિંહને મળી સ્પષ્ટતા કરી હતી કે તેઓ માંડવી બેઠક લડવા માગે છે કે નહીં, માંડવી બેઠક કોંગ્રેસ માટે સલામત ગણાય છે, પણ ત્યારે શકિતસિંહે તેઓ ભાવનગર જ લડશે તેવુ વલણ સ્પષ્ટ કર્યુ હતું, નવલસિંહે આ સ્પષ્ટતા કરી તેની પાછળનું કારણ એવુ હતુ કે તેઓ પોતે માંડવી બેઠક લડવા માગતા હતા, પણ જો ગોહીલ તે બેઠક લડવા માગતા હોય તો તેઓ તે માટે ખસી જવા તૈયાર હતી.

શકિતસિંહે માંડવી બેઠક ઉપર ચુંટણી લડવાની ના પાડતા, નવલસિંહ જાડેજા છેલ્લાં એક વર્ષથી માંડવી બેઠક માટે તૈયારીઓ અને કામ કરી રહ્યા હતા, પણ પંદર દિવસ અગાઉ નવલસિંહને જાણ થઈ હતી કે શકિતસિંહ માંડવીથી લઈ રહ્યા છે, તેના કારણે માંડવીના જાડેજા આગેવાનો પ્રદેશ સમિતિ ખાતે આવ્યા હતા, અને તેમની રજુઆત કરી હતી કે ભાવગનરના ગોહીલવાડમાં ગોહીલની પસંદગી થતી હોય તો માંડવીના જાડેજાવાડમાં કેમ ગોહીલની પસંદગી કરવામાં આવે છે. આમ હવે માંડવીને બેઠક ઉપર શકિતસિંહને પોતાના નારાજ જાડેજાઓને મનાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp