વર્લ્ડ કપ પહેલા ભારતનો સ્ટાર ખેલાડી થયો ઇજાગ્રસ્ત
વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમ આજે પોતાની પહેલી વોર્મ અપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી રહી છે, ત્યારે ભારતને મેચ પહેલા જ મોટો ઝટકો લાગ્યો હતો. આ મેચના એક દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદ થયેલો વિજય શંકર ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેને કારણે ટીમ ટેન્શનમાં આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચોથા ક્રમ માટે વિજય શંકરની પસંદગી કરવામાં આવી હતી.
UPDATE - Vijay Shankar was hit on his right forearm during practice on Friday. He underwent scans and no fracture has been detected. BCCI Medical Team is aiding him in his recovery pic.twitter.com/47ufzHtLX7
— BCCI (@BCCI) May 25, 2019
વિજય શંકરને શુક્રવારના રોજ પ્રેક્ટિસ સેશન દરમિયાન જમણી બાજુ ખભામાં ઇજા થઇ હતી અને તેને તુરંત મેદાન બહાર લઇ જવામાં આવ્યો હતો. વિજય બેટિંગનો અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે જ ભારતીય ટીમને પ્રેક્ટિસ કરાવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા ફાસ્ટ બોલર ખલીલ અહમદનો બાઉન્સર પૂલ થઇને વિજય શંકરના ખભા પર વાગ્યો હતો, જેને કારણે તેને ઇજા થઇ હતી.
Shots from what our training session looked like on the eve of the first warm-up game for #CWC19 #TeamIndia pic.twitter.com/D2cKf2z3NC
— BCCI (@BCCI) May 24, 2019
હાલમાં તો BCCIએ શંકરની સ્થિતિ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપતા કહ્યું હતું કે, વિજય શંકરનો સ્કેન કરવામાં આવ્યો છે. કોઇ ફ્રેક્ચર ડિટેક્ટ નથી થયું, પરંતુ હજુ તપાસ ચાલી રહી છે. ભારતીય ટીમ આશા રાખે કે શંકરની ઇજા ગંભીર ન હોય, કારણ કે શંકરને નંબર 4 માટે અંબાતી રાયડુની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp