દીપિકાના ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે રણવીર, જાણો કારણ

PC: indiatimes.com/

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં લગ્ન બાદ મુંબઈ આવી ગયા. મુંબઈ પહોંચતા જ દીપિકાએ પતિના ઘરે ગૃહપ્રવેશની રસ્મ નિભાવી. દીપિકા, લગ્ન બાદ રણવીર સાથે તેના ઘરમાં રહેશે. પરંતુ, મળતી માહિતી અનુસાર, જ્યાં સુધી બંનેનો આ નવો બંગલો સંપૂર્ણરીતે તૈયાર ન થઈ જાય, ત્યાં સુધી રણવીર, દીપિકાના ઘરમાં રહેશે.

જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરે 50 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. હજુ ઘર સંપૂર્ણરીતે બનીને તૈયાર નથી. રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ બંને નવા બંગલામાં શિફ્ટ થઈ જશે. ત્યાં સુધી રણવીર દીપિકા સાથે તેના ઘર પર રહેશે.

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનો સમારોહ 14-15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં યોજાયો હતો. આ સમારોહને પ્રાઈવેટ રાખવામાં આવ્યો હતો. હવે, 21 નવેમ્બરે બેંગ્લોરમાં અને 28 નવેમ્બરે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખાસ મિત્રો માટે 1 ડિસેમ્બરે દીપવીર મુંબઈમાં અલગથી રિસેપ્શન પ્લાન કરી રહ્યા છે. જેમાં બોલિવુડ સહિત ઘણા મોટા સિતારાઓ સામેલ હોવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp