બગાવત બાદ આઈ કે જાડેજા દિલ્હી ઉપડી ગયા, જાણો કેમ

PC: bjpgujarat.org

ભાજપમાંથી બગાવત કરનારા આઇ. કે. જાડેજાને દિલ્હી બોલાવાયા. રૂ. 9 કરોડમાં ટિકિટ વેચાઈ હોવાના ભાજપના નેતાઓ પરના આરોપ બાદ દિલ્હી ભાજપના નેતાઓ પર ખફા થયું છે. ધ્રાંગધ્રાની ટિકિટ પણ કરોડોમાં ગઈ હોવાનો આરોપ છે. તેથી આઇ કે ધ્રાંગધ્રાની ટિકિટ આપવા ભાજપ હાઇકમાન્ડ પર દબાણ કરી રહ્યા છે. આઈ કે જાડેજા આનંદીબેનના જુથના મજબૂત આગેવાન છે. ભાજપના પૂર્વ સાંસદ રણજીતસિંહ ઝાલાએ પણ ગઈકાલે ટિકિટ વેચાઈ હોવાના મામલે સનસનાટીપૂર્ણ આરોપ મૂક્યો હતો અને જાહેર સભાનું સ્થળ છોડીને જતા રહ્યાં હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.