ખેડૂતોને મોદી સરકારની ભેટ ડાંગર, અડદ, ચણા, મગદાળના MSPમાં તોતિંગ વધારો કરાયો

PC: thehindubusinessline.com

દાળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે દેશમાં ઉત્પાદન વધારવાના હેતુથી મોદી સરકારે ચણા,મગ અને અળદની દાળના મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) માં તોતિંગ ભાવમાં વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના MSPમાં વધારાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ચણાની દાળની MSP 400 રૂપિયા વધારીને 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. અડદની દાળની MSP પણ 350 રૂપિયા વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગની MSP 10.4 ટકાના વધારા સાથે 7755 રૂપિયાથી વધારીને 8558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.

કેબિનેટે કહ્યું છે કે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, જેઓ વધુ કઠોળની વાવણી કરવા પ્રેરિત થશે અને ઉપજની ઊંચી કિંમત મેળવશે. વેપારીઓથી લઈને મિલરો સુધી, સરકાર પાસે દાળના MSPમાં વધારો કરવાની માંગ કરી હતી જેથી કરીને દેશમાં ચણા દાળનું વધુ ઉત્પાદન થઈ શકે.

છેલ્લા કેટલાક મહિનામાં ચણાનીદાળના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. હાલમાં ચણાની દાળની MSP મગની દાળના MSP કરતા 7755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછી છે. દેશમાં ચણાની દાળના વપરાશને પહોંચી વળવા માટે, સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા માટે સરકારે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ચણાની દાળનો વધારાનો જથ્થો આયાત કર્યો છે.

ડાંગર જેવા અન્ય ખરીફ પાકોની MSP 2040 રૂપિયાથી વધારીને 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ગ્રેડ A ડાંગરની MSP 2060 રૂપિયાથી વધારીને 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. મકાઈની MSP 1962 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. કપાસના MSPમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

મગફળીના MSPમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય વાણિજ્ય, ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં MSPમાં આ વર્ષે સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારે ખર્ચ કરતાં MSP 50 ટકા વધુ રાખવાનો નિર્ણય લીધો હતો. અને તે મુજબ MSPમાં વધારો કરવામાં આવ્યો છે.

મંગળવારે, 6 જૂન, 2023 ના દિવસે સરકારે દેશમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક મોટી જાહેરાત કરી હતી. પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ, સરકારે વર્ષ 2023-24 માટે ચણા, અડદ અને મસૂર કઠોળની ખરીદી માટે 40 ટકાની મર્યાદા નાબૂદ કરી છે. હવે ખેડૂતો પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ સરકારને ગમે તેટલી કઠોળ વેચી શકે છે. સરકારના આ નિર્ણય બાદ આ ખરીફ સિઝન અને આગામી રવી સિઝનમાં આ કઠોળની વાવણી વધવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp