ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી, આ છે પુરાવો

ભારત દેશ બાબતે વાત થાય ત્યારે તેની પ્રાચીન સંસ્કૃતિની વાત પણ થાય. ત્યારે એવું કહેવાય છે કે ભારત આજે ગરીબ ભલે હોય પરંતુ એક એવો સમય હતો જ્યારે અહીં ધી-દૂધની નદીએ વહેતી હતી. આ સાયું હોવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગુજરાતના એક ગામમાં જે પરંપરા છે જે બતાવે છે કે ઘીની નદીં શું હોય. 

ગુજરાતના ગાંધીનગરથી 13 કિ,મી દુર આવેલા રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા દિવસે એટલે કે નોમના દિવસે રાત્રે 12 વાગ્યે વરદાયિના માતાની પલ્લી યાત્રા કાઢવામાં આવે છે અને આ યાત્રામાં  ચોખ્ખા ઘીની નદીઓ વહે છે. આ પરંપરા 5,000 વર્ષથી ચાલતી આવી છે. રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી યાત્રા ફરે અને દરેક ચોક પર ધી ઢોળવામાં આવે.

એક અંદાજ મુજબ માત્ર એક જ દિવસમાં લાખો લીટર ઘીનો ઉપયોગ થાય છે અને ગામના આખા રસ્તાઓ પર તમને ઘી વહેતું જોવા મળે. એક એવી લોકવાયકા છે કે પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે રૂષીના કહેવાથી માતા વરદાયિનાના શરણે ગયા હતા અને માતાએ પાંડવોને યુદ્ધ જીતવાના આર્શીવાદ આપ્યા હતા. યુદ્ધ જીત્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રોપદી રૂપાલ ગામ આવ્યા હતા અને તેમણે સોનાની પલ્લી બનાવીને આખા ગામમાં યાત્રા કાઢી હતી. ત્યારથી આ પરંપરા ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp