'પદ્માવત'નું નવું ટીઝર થયું લોન્ચ, ડાયલોગ સાંભળીને રુવાટા ઉભા થઈ જશે

PC: youtube.com

સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ માંડમાંડ રીલિઝ થવા જઈ રહી છે, તે પહેલા જ ફિલ્મના પ્રોડ્યૂસરે ફિલ્મનો એક ડાયલોગ પ્રોમો રીલિઝ કર્યો છે, જેમાં રાજપૂતની બહાદુરી વિશે જે ડાયલોગ બોલવામાં આવ્યો છે, તે સાંભળીને રાજપૂતોની છાતી ગર્વથી ફૂલી જશે. પરંતુ આ પ્રોમોમાં રણવીર સિંહ જે ખિલજીની ભૂમિકામાં છે, તે ખતરનાક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પહેલીવાર રઝા મુરાદની પણ ઝલક જોવા મળી હતી.

આ પ્રોમોમાં રાજા રાવલ રત્ન સિંહ એટલે કે શાહિદ કપૂરની જુબાની જંગ જોવા મળી હતી. શરૂઆતમાં રણવીર સિંહનો એક મોનોલોગ આવે છે, જેમાં તે ખિલજીઓને દુનિયા પર કબજો કરવાનું કહે છે. પછી રતન સિંહનો સીન આવે છે, જેમાં રતન સિંહનો ડાયલોગ છે કે, ‘''कह दीजिए अपने सुल्तान से, उनकी तलवार से ज्यादा लोहा हम सूर्यवंशी मेवाड़‍ियों के सीने में है’ આ ડાયલોગ સાંભળીને રાજપૂતોનું માથું ગર્વથી ઉચું થઈ જાય છે.

Padmaavat | Dialogue Promo

#Padmaavat, releasing on 25th January 2018 in theatres near you. Now also in 3D, Imax 3D, Tamil & Telugu. Ranveer Singh Deepika Padukone Shahid Kapoor Aditi Rao Hydari Viacom18 Motion Pictures #BhansaliProductions T-Series

Posted by Padmaavat on Friday, January 19, 2018

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp