બજેટ રજૂ થતા જ ટાટાને કઇ રીતે થઇ ગયા બખ્ખાં

PC: twitter.com

રતન ટાટાની કંપની ટાઇટનને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતા સીતારમણના બજેટથી ભારે ફાયદો થયો છે. સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ટેક્સમાં 6 ટકાની કમીના કારણે ટાઇટનના શેરોમાં લગભગ 7 ટકાનો વધારો જોવા મળ્યો. તેનાથી કંપનીનું વેલ્યૂએશન એક જ દિવસમાં લગભગ 19000 કરોડ રૂપિયા વધી ગયું. બજેટમાં આ જાહેરાત બાદ ટાઇટનના શેરોમાં સતત તેજી છે. આ ખબર શેર બજાર અને ટાઇટનના રોકાણકારો માટે ખૂબ ઉત્સાહજનક છે.

BSEના આંકડાઓ મુજબ, બુધવારે ટાઇટનના શેર 4.80 ટકાની લીડ સાથે 3472.95 રૂપિયા પર બંધ થયા હતા. કારોબાર દરમિયાન એક સમયે આ શેર વધીને 3552.95 રૂપિયાના ઊંચા સ્તર પર પહોંચી ગયા હતા. વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી દિવસોમાં કંપનીના શેરોમાં વધુ તેજી આવી શકે છે. ટાઇટનની આ સફળતાનું એક મોટું કારણ તેની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક છે. સોના અને ચાંદી પર આયાત શુલ્કમાં કમીથી તનિષ્કને ખૂબ ફાયદો થવાની આશા છે. તેની સીધી અસર ટાઇટનના શેરો પર નજરે પડી રહી છે.

મંગળવારે એટલે કે બજેટના દિવસે ટાઇટનના બજારનું પૂંજીકરણ 2,88,757.16 કરોડ રૂપિયાથી વધીને 3,07,897.56 કરોડ રૂપિયા થઇ ગયા. તેનો અર્થ છે કે કંપનીના મૂલ્યાંકનમાં 19,140.4 કરોડ રૂપિયાનો વધારો થયો. નાણા મંત્રી નિર્મલા સીતા સીતારમણે મંગળવારે સોના અને પ્લેટિનમ પર મૂળ સીમા શુલ્ક ઘટાડીને 6 ટકા અને ચાંદી પર 6.4 ટકા કરવાનો પ્રસ્તાવ રાખ્યો.

સોના, ચાંદી અને પ્લેટિનમ પર સીમા શુલ્કમાં કમી રત્ન અને આભૂષણ ઉદ્યોગની લાંબા સમયથી ચાલતી આવી રહેલી માગ હતી. આ નિર્ણય બાદ દેશના વાયદા બજારમાં સોનાની કિંમતોમાં 5 ટકાથી વધુનો ઘટાડો આવ્યો, જ્યારે ચાંદીમાં કારોબાર દરમિયાન 5000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. જાણકારોનું માનવું છે કે આ નિર્ણયથી સામાન્ય જનતાને ખૂબ રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp