બોપલ કસ્ટોડીયલ ડેથના મામલે હાઈકોર્ટનું પોલીસને તેડું

PC: google.co.in

ઓક્ટોબર મહિનામાં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડીયન ડેથના મામલે આ તપાસ અન્ય એજન્સી પાસે કરાવવા અંગેની માગણી બાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલે બગોદરા પોલીસને પોતાના કાગળો સાથે હાજર રહેવા આદેશ આપ્યો છે. બગોદરા પોલીસમાં કુરીયર કંપનીમાં થયેલી ચોરી અંગે નોંધાયેલી ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુરીયર કંપનીના ડ્રાઈવર સુરૂભાઈ ઝાલાને ગુનો કબૂલ કરવા માટે ઢોર માર માર્યો હતો, જેના કારણે પોલીસ કસ્ટડીમાં સુરૂભાનું મોત નિપજ્યું હતું. આ મામલે ફરિયાદ થતા મેજિસ્ટ્રેટ  દ્વારા તપાસ થઈ હતી, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પોલીસના મારનો ઉલ્લેખ હતો અને સુરૂભાનું મોત બ્રેઈન હેમરેજને કારણે થયું હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું, જેના કારણે બોપલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કે ટી કામરીયાને સોંપવામાં આવી હતી. કે ટી કામરીયાએ આ મામલે તપાસ હત્યામાં સંડોવાયેલા ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી, પરંતુ મૃતકના પરિવારનો આરોપ છે કે ખરેખર આ હત્યામાં વધુ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે, તેથી આ મામલે અન્ય કોઈ એજન્સી મારફતે તપાસ થવી જોઈએ. આ રીટ બાદ હાઈકોર્ટે બગોદરા પોલીસ અને DySPને કેસના કાગળો સાથે હાઈકોર્ટ સામે હાજર રહેવા આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp