બિલ્ડરોએ મજૂરના લાખો રૂપિયા નહીં આપતા લેબરકોન્ટ્રાક્ટરે કર્યો આપઘાત

PC: oneindia.com

અમદાવાદના વાડજ વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટરે પોતાના ઘરમાં જ બિલ્ડરોના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી હતી. જ્યાં સુધી પોલીસે જવાબદારો સામે પગલા નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતા ખોડાભાઈ પરમાર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. દરમિયાન આજે તેમણે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

પોલીસને તપાસમાં લેબર કોન્ટ્રાક્ટરની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બેથી વધારે બિલ્ડરના નામનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં તેમણે મજૂરીના રૂ. 18 લાખ આપવાનો ઈન્કાર કરતા તેમણે અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસે સ્યુસાઈડ નોટ તપાસ માટે એફએસએલમાં મોકલી આપવાની કવાયત આરંભી છે.

બિલ્ડરના ત્રાસથી ખોડાભાઈ પરમારે આત્મહત્યા કરતા પરિવારજનોએ જવાબદારો સામે પગલા ભરવાની માગણી કરી હતી. તેમજ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ તેમણે પરિવારજનોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp