અમદાવાદમાં કિન્નર અને યુવકના પ્રેમનો કરૂણ અંત, પ્રેમીએ કરી કિન્નરની હત્યા

PC: thelivenagpur.com

કિન્નરોના બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર, તો ક્યારેક પ્રેમસંબંધમાં કિન્નરો વચ્ચે મારમારીના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ હવે પ્રેમી દ્વારા કિન્નરની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં કિન્નરના પ્રેમીના અન્ય કિન્નર સાથે સંબંધ હોવાના વહેમ બાદ થયેલા ઝઘડામાં કિન્નરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં નોબલનગરમાં આવેલા વાલ્મિકીનગરમાં રહેતા મમતા માસી નામના કિન્નરને અજય નાળીયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા આથી, તેઓ પોતાના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે વાલ્મિકી નગર આવાસમાં ભાડેથી રહેતા હતા. રિપોર્ટ અનુસાર, મમતા માસીને શંકા હતી કે તેમના પ્રેમની અજયનો અન્ય કિન્નર સાથે પણ પ્રેમ સંબંધ છે. આ બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દરમિયાન આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અજયે મમતા માસીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

રિપોર્ટ અનુસાર, મમતા માસી અને અજય વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા અજયે મમતા માસીને છાતીના ભાગે ધારદાર હથિયારનો એક ઘા માર્યો હતો. આ ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત મમતા માસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મમતા માસીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યારે આરોપી અજયને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp