સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓ પર ધનવર્ષા અને કરિયર ચમકશે

PC: pinimg.com

નવ ગ્રહોના પરિવારમાં રાજાની ઉપાધિથી સન્માનિત સૂર્ય દેવતા જ્યારે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેને આપણે ખીચડી કે પછી સંક્રાંતિના નામેથી પણ જાણીએ છીએ. જ્યોતિષના અનુસાર સૂર્યના આ ગોચરનું દરેક રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડે છે. સૂર્ય દેવતાની કૃપાથી આપણને કરિયરમાં સફળતા અને સમાજમાં સન્માનની પ્રાપ્તિ થાય છે. તો જાણો સૂર્યનું આ ગોચર કઇ રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહ્યું છે.

મેષ રાશિ

આ રાશિમાં સૂર્ય 5માં ભાવના સ્વામી માનવામાં આવે છે અને ગોચરના સમયમાં આ તમારી કુંડળીના 10માં ભાવમાં પ્રવેશ કરશે. મેષ રાશિના લોકો પર ખૂબ જ સારો પ્રભાવ રહેશે. ગોચર પછી તમને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. જે લોકો રાજકારણથી જોડાયેલા છે તેમને પણ સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ સફળતાનો સમય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ખૂબ જ શુભ ફળ આપનારું સાબિત થશે. તેના પ્રભાવથી વિદ્યાર્થીઓને શુભ પરિણામ પ્રાપ્ત થશે. જો તમે નોકરી બદલવા અંગે વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા આ સમયે પૂરી થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમને પ્રમોશન મળી શકે છે. જો વેપાર સાથે સંકળાયેલા છો તો ભાગ્ય સાથ આપશે અને સફળતાની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ

આ ગોચરના પ્રભાવથી તમારા અત્યાર સુધીના દરેક પ્રયાસો સફળ સાબિત થશે અને તમારા અટકાયેલા કામો પણ બની શકે છે. જૂના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. લાંબી યાત્રાથી બચવાની જરૂર છે. નાના અંતરની યાત્રાઓ વધારે લાભ આપશે અને તમારા મન અનુસાર સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ

સૂર્ય તમારી રાશિમાંથી નિકળી પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. તમારા માટે આ ગોચર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યું છે અને તમને દરેક પ્રકારના કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની આશા છે. તમારી રાશિના લોકો માટે આ સમયે ધન પ્રાપ્તિના સારા યોગ બની રહ્યા છે અને તમને જીવનમાં સારા નફો પ્રાપ્ત થશે. આર્થિક રીતે તમે સમૃદ્ધ થશો. પણ સાથે જ તમારા ખર્ચાઓ પર પણ વૃદ્ધિ થશે, પણ તે સુખ આપનારી રહેશે.

મીન રાશિ

આ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર શુભ ફળ આપનારું માનવામાં આવી રહ્યું છે. તેના પ્રભાવથી તમને સન્માન પ્રાપ્તિ થશે અને સામાજિક ખ્યાતિમાં વૃદ્ધિ થશે. તમારી આવકમાં વધારો થશે અને અન્ય સ્ત્રોતોથી ધનની પણ પ્રાપ્તિ થઇ શકે છે. કામમાં તમારી વૃદ્ધિની સાથે વેતનમાં પણ વૃદ્ધિ મળી શકે છે. આ રાશિના લોકોને દરેક પ્રકારના શુભ પરિણામ પ્રાપ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp