અમરોલી કોલેજમાં યોજાયો 7મો શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ

PC: khabarchhe.com

જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં કારકિર્દી ક્ષેત્રે સર્વોચ્ચ પ્રદર્શન કરનાર તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓના તેજસ્વી, પ્રતિભાશાળી તથા સિદ્વિ હાંસલ કરનાર વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે 7મો ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચંદ્રેશ મહેતા એ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા

આ પ્રસંગે પ્રિ. ડો. કે.એન.ચાવડાએ કોલેજના વિકાસ વિશે અને તેજસ્વી વિદ્યાર્થીઓ અંગે માહિતી આપીને મહેમાનોનું પુસ્તકથી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રી અશ્વિન પટેલ અને મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કરી વિવિધ પ્રવૃત્તિઓમાં સફળતા બદલ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. તેમજ વિદ્યાર્થીઓને નયન રમ્ય ટ્રોફીઓ અને ઇનામો આપવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિ.ડો. કે.એન.ચાવડા એ તેમજ ઇનામ વિતરણ સંચાલન પ્રા. ચિરાગ સિદ્વપુરિયા, કે. આર.સોલંકી અને વહીવટી પરિવાર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp