PM 21 નવેમ્બરે ગાંધીનગરની યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થશે

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 નવેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થશે. આ સમારંભમાં, લગભગ 2600 વિદ્યાર્થીઓ ડિગ્રી / ડિપ્લોમાની પદવી મેળવશે.

પદવીદાન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી ‘45 મેગાવોટ પ્રોડક્શન પ્લાન્ટ ઓફ મોનોક્રિસ્ટલાઇન સોલાર ફોટો વોલ્ટેઇક પેનલ ’અને‘ સેન્ટર ઓફ એક્સેલન્સિસ ઓન વોટર ટેકનોલોજી’ નો શિલાન્યાસ કરશે. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી ‘ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર-ટેકનોલોજી બિઝનેશ ઇન્ક્યુબેશન’, ‘ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટર’ અને ‘સ્પોર્ટસ કોમ્પ્લેક્સ’ નું ઉદઘાટન પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp