સ્વતંત્ર દિન પૂર્વે જેઠાલાલની ડાગળી કેમ ચસકી

PC: khabarchhe.com

ગોકુળધામ સોસાયટીમાં ધ્વજ ફરકાવવા માટે દરેક પોતપોતાનો દાવો આગળ કરી રહ્યા હતા ત્યારે મહિલા મંડળે પણ ધ્વજ વંદન માટે ક્લેમ કર્યો. આખરે લકી ડ્રો કાઢવાનું નક્કી થયું અને એમાં બબિતા દ્વારા કરાયેલા ડ્રોમાં જેઠાલાલનું નામ આવ્યું ત્યારે તેઓ સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા. પણ હાયરે નસીબ...

જેઠાલાલે ધ્વજ વંદન કરવા નવો ડ્રેસ સીવડાવ્યો, સગાસંબંધીને બોલાવ્યા અને ખાસ ફોટોગ્રાફર્સને પણ આમંત્રણ આપ્યું. તો ધ્વજ લાવવાની જવાબદારી ઐયરને સોંપાઈ. પરંતુ રસ્તામાં ચાલતા પોલીસના ચેકિંગથી ગભરાઈ ઐયર ધ્વજ રિક્ષામાં જ ભૂલી આવતો રહ્યો. ધ્વજ વંદન સમયે આ વાતની જાણ થઈ કે ફરી ગોકુલધામમાં જેઠાલાલ-ઐયર વચ્ચે જંગ ફાટી નીકળ્યો. 9 ઓગસ્ટથી શરૂ થયેલો આ જંગ 18 ઓગસ્ટ સુધી દર્શકોનું મનોરંજન કરતો રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp