સુરતમાં ગરબાના આયોજકો કેમ ટેન્શનમાં છે? એક આયોજક 5મીથી શરૂ કરશે

PC: twitter.com

3 ઓક્ટોબર,ગુરવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને ખૈલેયામાં ગરબા રમવાનો થનગનાટ છે, પરંતુ કેટલાંક ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે.

સુરત પોલીસ કમિશ્નરે કહ્યુ હતું કે, આ વખતે સુરતમાં શેરીગરબા-સોસાયટી સહિત 3000 આયોજનો છે, જ્યારે 15 જેટલા કોર્મશિયલ આયોજનો છે. જાણવા મળેલી વિગત મુજબ સુરતના એરપોર્ટ વિસ્તારમાં G-9 ગરબાના પ્લોટ પર પાણી ફરી વળવાને કારણે મુશ્કેલી ઉભી થઇ છે તો આ જ વિસ્તારમાં રાસલીલા ગ્રુપના ડોમમાં પણ પાણી ભરાયા છે. વી-આર મોલની સામે સુવર્ણ નવરાત્રીનું આયોજન છે. જાણવા મળેલી વિગત મુજબ સુવર્ણનવરાત્રીના આયોજકોએ 5 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ કરવાની જાહેરાત કરી છે, કારણકે પાર્કિંગ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. આવી હાલત અનેક આયોજકોની હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp