આ સોરી કહેનારાઓથી બચીને રહેજો

PC: newindianexpress.com

(Utkarsh Patel) ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય આવા હૃદયભાવ વાળા વ્યક્તિઓને.

એક બીજા પ્રકારનું પણ સોરી આવે છે જેની આજે વાત કરીએ.

મગજની બુદ્ધિથી કહેવાતું સોરી.

કેવા હોય આ બુદ્ધિના સોરી?

આવા...

- કોઈકના પર તમને ખૂબ વ્હાલ હોય વિશ્વાસ હોય અને તમારા સંકટના સમયમાં સોરી કહીને ખસી જનારા.

- કોઈકના ભરોસે તમે અગત્યના નિર્ણય લીધા હોય અને જરૂરના સમયે તમને સોરી કહી દેનારા.

આ પ્રકારના સોરી કહી દેનારા લોકોથી બચીને રહેવું જોઈએ. પરખ કરીને જ કોઈકની પાસે સથવારા કે સહયોગની આશા રાખજો.

મારી વાત... હું ક્યારેય કોઈકના ભરોસે કે કોઈકની આશામાં કંઈ જ નિર્ણય લેતો નથી એટલે આવા લોકોને ખોટી આશાઓ આપનારા અને મગજથી સોરી કહેનારાઓ મારી આસપાસ ભટકતા જ નથી.

તમે તમારી આસપાસ નજર દોડાવી આવા ખરા સમયે સોરી કહી દેનારા અને કહી શકનારા મગજવાળા લોકોને બને તેટલા જલ્દી ઓળખી કાઢો અને રામ રામ કરી દો. સંબંધો કાપવાના નથી બસ એમની સાથેની લાગણીઓને રામ રામ કહી દો.

શોધો શોધો મગજથી સોરી કહી શકનારાઓને.

મગજ વાળા હૃદય વાળાને સોરી કહીને છેતરી જતા હોય છે.

અગત્યનું:

કોઈની પાસે આશાઓ રાખશો નહીં કેમ કે આપણને નથી ખબર કે કોણ કયા લક્ષ્ય અને આશા અપેક્ષા સાથે સબંધ રાખી રહ્યું છે. કોઈકનાથી નિરાશ થવા કરતા આશા નહીં રાખીને જાત મહેનત કરી લેવી વધુ સારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp