રેલવેનું ખાનગીકરણ થશે કે નહીં? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ

PC: indiatvnews.com

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે રેલવેથી ઇકોનોમીમાં સુધાર સંભવ છે પરંતુ ઇકોનોમીમાં રેલવેની ભાગીદારી હોય, તે પહેલા રેલવેમાં સુધારની જરૂરિયાત છે. રેલવેમાં ઇકોનોમીને વેગ આપવાની પૂરી તાકત છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે રેલવે સ્ટેશનો પર મુસાફરોને બધી સુવિધાઓ મળે એ સરકારની પહેલી પ્રાથમિકતા છે. શહેરના હિસાબે રેલવે સ્ટેશનોને બનાવવાની જરૂરિયાત છે. જ્યારે રેલવે સ્ટેશન રિજનલ કલ્ચર સાથે જોડાઈને બનશે તો વધારે સારા હશે.

તેમણે કહ્યું કે લગભગ 40 રેલવે સ્ટેશનોની ડિઝાઇન બનીને તૈયાર છે. જે આગામી દિવસોમાં જોવા મળશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અમને કહ્યું છે કે આ રીતે રેલવે સ્ટેશનોનો વિસ્તાર થવો જોઈએ. જે આગામી 50 વર્ષ માટે હોય. જોકે તેમણે કહ્યું કે આગામી 2-3 વર્ષોમાં 250થી 300 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવાનો છે. સરકારી કંપનીઓના ખાનગીકરણના સવાલ પર રેલ મંત્રીએ કહ્યું કે રેલવેને પ્રાઇવેટ હાથોમાં સોંપવાનો સવાલ ઊઠતો નથી. રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીં કરવામાં આવે.

તેમણે કહ્યું કે દુનિયાભરમાં રેલવે સરકાર ચલાવે છે અને અહીં પણ સરકાર જ ચલાવશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે રેલ મંત્રીઓને મુસાફરી દરમિયાન કોઈ પરેશાની ન થાય સરકારની આ જ પહેલી પ્રાથમિકતા છે. આ અનુસંધાને સરકારે ગત વર્ષોમાં ઘણા પગલાં ઉઠાવ્યા છે. અશ્વિની વૈષ્ણવનું કહેવું માનીએ તો તેમને ત્રણ મંત્રાલય મળ્યા છે અને તેઓ પોતાનું બેસ્ટ અપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાનો આ એક શાનદાર અનુભવ છે. તેમને દરેક મંત્રાલય બાબતે સારી રીતે જાણકારી છે. તેઓ દરેક મંત્રાલય બાબતે સૂક્ષ્મતા પર ધ્યાન કરે છે. વિકાસને લઈને તેમનું અલગ વિઝન છે.

તેમણે કહ્યું કે એવો અનુમાન છે કે વર્ષ 2018 અને વર્ષ 2030 વચ્ચે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે મુસાફરોને સારી સેવા આપવાના ઉદ્દેશ્યથી સિલેક્ટેડ રુટ પર પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે મોડર્ન રેકને સામેલ કરવા માટે PPP મોડનો ઉપયોગ કરવાનો પણ પ્રસ્તાવ છે. સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે આજની તારીખમાં દરેક સુધી સરળતાથી સોશિયલ મીડિયાની પહોંચ છે. કેટલાક લોકો તેનો ખોટો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે પરંતુ તેના પર નિયંત્રણ જરૂરી છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp