ગુજરાત સરકાર વેપારી થઇ ગઇ, અંબાજી મંદિર માટે બસનું ભાડું વધારી દીધું

PC: khabarchhe.com

બનાસકાંઠામાં આવેલા અંબાજી ધામમાં 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે અને 18 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. મા શક્તિના ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આ ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરવા માટે આવે છે. આવા સમયે એસ ટી વિભાગે બસનું ભાડું વધારી દેતા ભારે ઉહાપોહ મચી ગયો છે.

અંબાજી ગામથી ગબ્બર પર્વત સુધીનું જે રૂટીન ભાડું 13 રૂપિયા હતું તે ભાદરવી પૂનમના મેળા સુધી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મતલબ કે સીધું 25 ટકા ભાડું વધારી દેવાતા લોકો ગુસ્સે ભરાયા છે. ભાદરવી પૂનમના મેળા માટે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી અંબાજી ધામ આવવા માટે લગબઘ 5500 વધારાની બસ મુકવામાં આવી છે.

અંબાજી મંદિરમાં લગબગ 30 લાખ લોકો દર્શન કરવા માટે આવે છે. શ્રદ્ધાળુઓને રાહત આપવાને બદલે ગુજરાત સરકાર તો વેપારી બની ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp