નીતિન પટેલે તેલની ભેળસેળ અંગે એવું નિવેદનન આપ્યું કે રાજકારણમાં ભડકો થયો

PC: twitter.com

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું જેના પડઘા રાજકોટમાં પડ્યા. રાજકારણમાં પણ ભડકો થઇ ગયો.

નિતીન પટેલે કહ્યું કે, 1000 ઓઇલ મીલોમાંથી 600 એવી છે જેમાં ભેળસેળ થાય છે અને આ વાત તમે બધા જાણો છો, ભેળસેળ કરનારા અને તેલ લેનારા પણ જાણે છે. આવી રીતે નહીં ચાલે, કઇંક કરો, નહીં તો હું શું કરીશ એ સમજી લે જો, હું ગુજરાત સરકારને કહીને બધા જ ગોડાઉનો સીલ લગાવડાવી દઇશ.

તમે જે ખોળમાં ભેળસેળ કરો છો તેને કારણે પશુપાલકોને નુકશાન થાય છે, કારણકે પશુ ઓછું દુધ આપે છે અને ફેટની માત્રા પણ ઘટી જાય છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિસેયશનના પ્રમુખ કિશોર વીરડીયાએ નિતીન પટેલની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, ગુજરાતમા સીંગતેલ સહિત વિવિધ તેલોમાં ભેળસેળ થાય છે આ વાત આજકાલની નથી, વર્ષોથી ચાલે છે અને આ બાબતે અમે સરકારને અનેક વખત રજૂઆતો પણ કરી છે.

જો કે, ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કહ્યું, અમારા કોઇ સભ્યો ભેળસેળ કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp