ભારતમાંથી અંગ્રેજો અમૂલ્ય ચીજો લઇ ગયેલા આજે પણ બ્રિટિશ મ્યૂઝિયમમાં છે

PC: vajiramandravi.com

અંગ્રેજોએ દુનિયાભરમાં શાસન કર્યું હતું અને ત્યાંથી અમૂલ્ય ચીજો ચોરીને બ્રિટન લઇ ગયા હતા. ભારતમાંથી પણ કોહિનુર ડાયમંડ સહિતની અમૂલ્ય ચીજો બ્રિટિશરો ચોરી ગયા હતા અને આ બધી વસ્તુઓ આજે પણ બ્રિટીશ મ્યૂઝિયમમાં છે.

અંગ્રેજોને 1859માં મદ્રાસમાંથી ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી હતી અને અમરાવતી માર્બલ પણ બ્રિટન સાથે લઇ ગયા હતા. મૈસુરના શાસક ટીપુ સુલતાન સાથે જીત મેળવ્યા પછી અંગ્રેજો ટીપુ સુલતાનની કિંમતી વીંટી લઇ ગયા હતા. જે 2014માં 1,45 લાખ પાઉન્ડમાં હરાજી કરવામાં આવી હતી.

અંગ્રેજો ભારતમાંથી સૌથી અમૂલ્ય કોહિનુર ડાયમંડ લઇ ગયા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1849માં રાણી વિકટોરીયાને કોહિનુર આપેલો. આ ડાયમંડ આંધ્રપ્રદેશની કોલ્લુર માઇનમાંથી મળેલો જેનું વજન 21.6 ગ્રામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp